SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ પ્રવચન ક્રમાંક - ૩૨, ગાથા ક્રમાંક - ૩૫ ક્ષેત્રમાં વલખાં ન મારે, મુંઝાય નહિ, અસ્વસ્થ ન બને, તેને આર્તધ્યાન ન થાય. ભૌતિક ક્ષેત્રમાં, જ્યારે તમને અનુકૂળતા ન મળે ત્યારે અંદરમાં આર્તધ્યાન થાય છે, તે આર્તધ્યાનથી બચવા માટે આ સમજણ તે જ સૌથી મોટો ઉપાય છે, “મને જે સંયોગો પ્રાપ્ત થાય છે તે પૂર્વે કરેલાં કર્મોના ફળરૂપે છે.” આટલી સમજણ જરૂરી છે. આર્તધ્યાનથી જો બચશો તો મનને તત્ત્વચિંતન કરવાનો અવકાશ મળશે. મન તો આપણું ચોવીસ કલાક કામ કરે છે અને ચોવીસ કલાક મન આર્તધ્યાન જ કરે છે. જેનું શરીર ઘસાઈ ગયું હોય તેને તમે કહો કે ચોપાટી ઉપર બે માઈલ ફરી આવે તો તે જઈ ન શકે, તેમ જેનું મન થાકેલું છે, ઘસાઈ ગયું છે, તે તત્ત્વચિંતન કરી શકતો નથી. અત્યાર સુધી આપણે આર્તધ્યાન-દુર્બાન કરી આપણા મનને ઘસી નાખ્યું છે, આમ આપણો માનસિક સમય અને આપણી માનસિક શક્તિ ઘટી હોવાના કારણે તત્ત્વચિંતન કરવાનો આપણને અવસર રહેતો નથી. ભૌતિકક્ષેત્ર ઉપર કર્યતંત્રનો કાબૂછે, એ વાત હજુ આપણા હૈયે ઊતરી નથી તેથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય છે. આપણે કર્મગ્રંથોનો અભ્યાસ કરીએ છીએ, કર્મની ફીલોસોફી જાણીએ છીએ, કર્મની વાત કરીએ છીએ, પણ ભૌતિક ક્ષેત્રે કર્યતંત્રનો કાબૂ છે, તે વાત માનવા હજુ પણ આપણે તૈયાર નથી. તમે ઈચ્છા કરી શકો, મહત્ત્વાકાંક્ષા કરી શકો, તમને છૂટ છે, પણ યાદ રાખજો કે તમારી ઈચ્છા અને અપેક્ષા પ્રમાણે થાય જ તેવું ન પણ બને. ભૌતિક ક્ષેત્રમાં જે કંઈ સિદ્ધિઓ જોઈએ છે, તે તમારી મહેનત, તમારી બુદ્ધિ, તમારી કામ કરવાની કુશળતા, તમારી આયોજન શક્તિ, લોકો પાસે કામ લેવાની ક્ષમતા, અને કયા વખતે કયું કામ લેવું તે તમારી નિર્ણય શક્તિ ઉપર આધાર રાખે છે, તે બરાબર છે, પણ એક અજ્ઞાત પરિબળને આપણે ભૂલી જઈએ છીએ. આ નથી જાણતા તે પરિબળ કર્યતંત્ર છે, તેમ જ્ઞાની કહે છે. જો કર્મનો સહયોગ ન હોય તો બધી હોંશિયારી હોવા છતાં કામ થતું નથી, તે તમે જાણો. તમારે રાષ્ટ્રપતિ થવું હોય અને કોઈના આશીર્વાદ લેવા જાવ અને એ આશીર્વાદ આપે પણ તમે રાષ્ટ્રપતિ થશો તે નક્કી નથી. બીજી મુશ્કેલી એ છે કે રાષ્ટ્રપતિ પદના તમે એકલા ઉમેદવાર નથી, બીજા ૨૦૦ થી ૫૦૦ ઉમેદવાર છે. તેઓ પણ સ્વપ્ના સેવી રહ્યાં છે. તમારે અબજોપતિ થવું છે પણ તમે થશો એ પણ નક્કી નથી. તમે ઈચ્છો કે આ પ્રકારની વ્યક્તિ મળવી જોઈએ તો પણ તે મળે તે નક્કી નથી. કારણ શું છે? કારણ કે તેમાં તમારી સાથે કામ કરતાં પરિબળમાં એક પરિબળ જે તમારા જાણવામાં નથી આવતું, તે છે કર્યતંત્ર. તો ભૌતિક ક્ષેત્રે વાત સ્પષ્ટ થઈ ગઈ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy