SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૫૭ પ્રવચન ક્રમાંક - ૩૨ ગાથા ક્રમાંક - ૩૫ સદ્ગુરુ પ્રાપ્તિનો ઉપકાર પ્રત્યક્ષ સગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. (૩૫) ટીકા પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો મોટો ઉપકાર જાણે, અર્થાત્ શાસ્ત્રાદિથી જે સમાધાન થઈ શકવા યોગ્ય નથી, અને જે દોષો સદ્ગુરુની આજ્ઞા ધારણ કર્યા વગર જતા નથી તે સદ્દગુરુ યોગથી સમાધાન થાય, અને તે દોષો ટળે, માટે પ્રત્યક્ષ સરુનો મોટો ઉપકાર જાણે, અને તે સદ્ગુરુ પ્રત્યે મન, વચન, કાયાની એકતાથી આજ્ઞાંકિતપણે વર્તે. (૩૫) આ ગાથામાં ઘણી બધી સ્પષ્ટતાઓ છે, અને તેની સાથે ઘણાં પ્રકારની સાધનાઓ આ ગાથામાં કહેલ છે. પ્રાથમિક અવસ્થામાં સાધકને અનિવાર્યપણે જે સાધના કરવી પડે છે તેની પ્રક્રિયા ૩૪ થી ૪૨ સુધીની ગાથામાં આપેલ છે. કોઈપણ સાધક આ પ્રક્રિયામાં ઊતર્યા વિના આગળની કોઈ સાધના કરી શકશે નહિ. ખરેખર સાધનાનો પ્રારંભ સમ્યગ્દર્શનથી થાય અને સમ્યગ્દર્શન થયા પછી વીતરાગદશા પામે ત્યાં સુધી સાધના ચાલે. વીતરાગદશામાં એ સાધનાની સમાપ્તિ થાય. સમ્યગદર્શનની પ્રાપ્તિ કરવા માટે સમગ્ર જીવનની તૈયારી કેવી હોય અથવા શું કરવું પડે, તેનું આ ગાથામાં વર્ણન છે. બહુ ધીરજથી, શાંતિથી, સ્વસ્થતાથી એક એક શબ્દ સમજવાનો પ્રયત્ન કરજો, અને આ વાત ઘણી શાંતિથી લક્ષમાં લેજો. કદાચ તમારે ગળે ન ઊતરે તો અમારી પાસે બીજો ઉપાય નથી, પરંતુ ધીરજ રાખી જેમ છે તેમ સમજવાનો પ્રયત્ન કરજો. ભૌતિક ક્ષેત્રમાં કર્યતંત્રનો પ્રભાવ છે. જન્મ થાય ત્યારથી માંડીને મૃત્યુની છેલ્લી ક્ષણ સુધી જીવનમાં જે કંઈ ઘટનાઓ ઘટે છે, વસ્તુઓ, વ્યક્તિઓ, પદાર્થો એ બધાનો આપણને મેળાપ-સંયોગ થાય છે, વિયોગ પણ થાય છે તથા જે પ્રસંગો બને છે, એ બધા ઉપર સત્તા કર્યતંત્રની છે. જો એટલું સમજાય કે ભૌતિક ક્ષેત્ર ઉપર કર્યતંત્રનો કાબૂ છે, મારો નહીં, તો સાધક ભૌતિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy