SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા તમારો આત્મા. આટલું કામ કરવા સદ્ગુરુની હાજરી જરૂરી છે, અનિવાર્ય છે. માટે એમ કહ્યું કે કોને સદ્ગુરુ કહેવા? બીજા બધાં લક્ષણો જવા દો. આત્માનો પ્રગટ અનુભવ જેમણે જીવનમાં કર્યો છે અને એ અનુભવમાં જે નિમગ્ન છે, આત્મજ્ઞાન જેમને છે તે જ ખરેખર સદ્ગુરુ, તે જ ખરેખર પુરુષ, તે જ્ઞાની પુરુષ. તેમની જરૂર પડશે. તમે માંદા પડશો તો કોને બતાવશો? ડૉક્ટરને. જેને ખબર છે, જેને જાણ્યું છે, જેને રોગ પારખવાનો અનુભવ છે તેને. તો આત્મા પણ જેણે જાણ્યો છે તેની પાસેથી મળશે. આત્મા તમારો છે, તમે ખોયો નથી, પણ તમે ભૂલ્યાં છો. ભૂલી જવાય પણ ખોવાય નહિ. તમે આત્મા મટી જાય તેવું બને જ નહિ. આત્મા જેમણે પ્રાપ્ત કર્યો છે તેને કહેવાય છે આત્મજ્ઞાની અને આવું આત્મજ્ઞાન જ્યાં હોય ત્યાં છે મુનિપણું. મુનિ એટલે સાધુ, અણગાર, શ્રમણ, અને તેઓ તપ જપ કરે છે, અનુષ્ઠાન કરે છે, પાંચ મહાવ્રતોનું પાલન કરે છે, રાત્રિભોજન કરતાં નથી. ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ પાળે છે, અનશન કરે છે, વ્રત કરે છે, માસખમણ કરે છે. બહારથી મુનિપણાંનાં બધા લક્ષણ હોય, પણ ત્યાં મુનિપણું હોય તે નક્કી નહિ. કેમ એમ? આત્મ અનુભવ ન હોય તો મુનિપણું ન હોય. એ અનુભવ વગર જે હોય તે દ્રવ્યલિંગી કહેવાય, અને આત્મજ્ઞાન હોય તે ખરેખર મુનિ. આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે. (આનંદઘનજી મ.સા.) આત્મજ્ઞાની હોય તે શ્રમણ, તે સાધુ, એ મુનિ. આવા મુનિ ભગવંત છે. નવકાર મંત્રમાં પાંચે પાંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. પરંતુ પાંચે પાંચ પરમેષ્ઠીમાં કોમન મુનિપણું છે. અરિહંત પણ મુનિ, સિદ્ધ પણ તે પદ પામ્યા પહેલાં મુનિ, આચાર્યો અને ઉપાધ્યાયો પણ મુનિ, અને નમો લોએ સવ્વસાહૂણં એ પદમાં પણ મુનિ. મુનિપણું ક્યાં હોય? જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, અજર-અમર છે એમ બોલવું તે વાચાજ્ઞાન, પણ આત્મજ્ઞાન નથી. પરંતુ આત્મા જેવો છે તેવો જેણે અનુભવ્યો છે, ત્યાં મુનિપણું અને આવું જ્યાં મુનિપણું હોય તે સાચાં ગુરુ હોય, તે જ સાચાં સદ્ગુરુ છે. આત્માર્થીનું પહેલું કામ સદ્ગુરુને પ્રાપ્ત કરવાનું છે. ખેડૂતને ખેતી કરવી છે તો પહેલાં જમીન શોધશે, વેપારીને વેપાર કરવો છે તો મૂડી શોધશે, દીકરાને પરણાવવો છે, તો પહેલાં કન્યા શોધશે. તેમ આત્માને મેળવવો હોય તો પહેલાં સદ્ગુરુ શોધવા પડશે, પ્રાપ્ત કરવા પડશે. તમારે આત્મા જોઈએ છે? તો સદ્ગુરુ હાજર થશે જ. પણ સદ્ગુરુ હાજર થાય ત્યારે બારણા બંધ ન કરશો, તેમનું સ્વાગત કરજો, તેમને પ્રેમથી વધાવજો. સોનાના ફૂલે અને રત્નોથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy