SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ પ્રવચન ક્રમાંક - ૩૧, ગાથા ક્રમાંક - ૩૪ સ્વજનો અને કુટુંબ ઉપર છે. કેટલાં રાજી થાઓ છો? ચાર વેવાઈઓ છે, ચાર જણાં ચાર બાજુથી કામમાં આવશે. એક ભાઈ કહેતાં હતાં કે હું મરું ત્યારે ગામમાંથી કોઈ ન આવે તોપણ મારો પોતાનો વેલો એટલો મોટો છે કે પૂરું થઈ જાય. આ ઘેલછાનો પાર નથી. આ ભોગો, વૈભવ, માન ઉપરથી દૃષ્ટિ હટે, સમજણ પૂર્વક દૃષ્ટિ હટાવે તેને જ્ઞાનીઓ વૈરાગ્ય કહે છે. નિત્યાનંદ સ્વામી ધ્યાન કરતાં હતાં. મહાદેવજી તેમના ઉપર પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. સ્વામીજીએ કહ્યું “મારી પાસે બધું છે, માટે કંઈ જોઈતું નથી. જ્યારે મહાદેવજીએ કહ્યું કે “તમને આપવા માટે ચિંતામણી રત્ન લાવ્યો છું અને તમે ના કહાં છો?' ત્યારે તેમણે જવાબ આપ્યો કે “સામે આ ઝાડ છે તેની બખોલમાં મૂકી દો. જેને ખપ હશે જેના ભાગ્યમાં હશે તે લઈ જશે.” આવી નિરપેક્ષ વૃત્તિ અને આવી અવસ્થાને જ્ઞાની પુરુષ વૈરાગ્ય કહે છે. સમગ્ર દૃષ્ટિ ભૌતિક સૃષ્ટિમાંથી હટીને જ્યારે આત્મા ઉપર આવે ત્યારે કામ થશે. એ આત્મા હજુ જોયો નથી, એ આત્મા જાણ્યો નથી, આત્માને તો જ્ઞાની પુરુષે જાણ્યો છે, અનુભવ્યો છે. તેને શ્રી કુંદકુંદાચાર્યજીએ ગાયો, શ્રીઅમૃતચંદ્રાચાર્યજીએ ગાયો, શ્રી હરિભદ્રસૂરિજી, શ્રી યશોવિજયજી, શ્રીઆનંદધનજી, શ્રીદેવચંદ્રજી, અને પરમકૃપાળુદેવ આદિ જ્ઞાનીઓ, સપુરુષો અને સંતોએ ગાયો. એ વર્ણન ઉપરથી એમ લાગે છે કે તેઓ જે આત્માનું વર્ણન કરે છે, તે કોઈ અદ્ભુત, અલૌકિક અણમોલ તત્ત્વ હોવું જોઈએ. ઝવેરી મોલ કરે મેરા લાલકા, મારા લાલ અમોલા, જાકુ પટંતર કો નહીં, ઉસકા ક્યા મોલા. સાહેબ! આ ઝવેરીઓ રત્નોની કિંમત કરે છે, પણ મારું જે રત્ન છે તે અણમોલ છે. તેનું મૂલ્ય જ ન થઈ શકે. જેનાથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી તેનું શું મૂલ્ય હોય? એવો અણમોલ આત્મા હાથમાં આવ્યો અને અંદરમાં એમ થયું કે મારે તેને જાણવો છે, અનુભવવો છે, પ્રાપ્ત કરવો છે અને તેની અનુભૂતિ કરવા માટે જે કંઈ કિંમત ચૂકવવી પડે, તે ચૂકવવા હું તૈયાર છું. એવી આંતરિક અવસ્થા જેને આવી તેને કહેવાય છે આત્માર્થી. આ શબ્દ સમજાયો? અર્થ એટલે પ્રયોજન. જીવનમાં આત્મા સિવાય બીજો કોઈ હેતુ કે પ્રયોજન નથી, પ્રત્યેક ક્ષણ આત્મા માટે જીવવી છે. આ નક્કી થઈ ગયું છે. એમાં કંઈ ફેરફાર થઈ શકે તેમ નથી, કારણ જગત અને જગતનાં પદાર્થો ઉપરથી, સમગ્ર પુદ્ગલ દ્રવ્ય ઉપરથી આસક્તિ છૂટી ગઈ છે. અડધી કડીમાં પરમકૃપાળુદેવે અદ્ભુત વાત કરી છે કે “રજકણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy