SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા નથી. આવી અવસ્થા છે. હજારો માણસો દર્શન કરવા આવ્યાં છે, પણ આંખ ઊંચી કરી કોઈની સામે જોતાં નથી. ત્યાં સનતકુમાર ચક્રવર્તી અને એમની પટરાણી સુનંદા વિધિપૂર્વક વંદન કરે છે અને કહે છે, “હે સંભૂતિ મુનિ ! હું પખંડનો સ્વામી, ચક્રવર્તી છું. તમે અનશન કર્યું છે, માટે આપને કરોડો વાર અમારા વંદન છે. આ શબ્દો સનતકુમારનાં છે. ભક્તિભાવથી એમને વંદન કરે છે. ચક્રવર્તીનું સ્ત્રીરત્ન સુનંદા તેમને વંદન કરે છે, તે વખતે તેના માથાના વાળની લટનો મુલાયમ સ્પર્શ સંભૂતિ મુનિને થાય છે ને તેઓ ગાડી ચૂકી જાય છે. અસાધારણ ઘટના છે. વર્ષો સુધી તપ કર્યું, સાધના કરી, અને છેલ્લે એમ થાય છે કે અરેરે ! અમે અમારા જીવનમાં માત્ર દુઃખો, તકલીફો, યાતનાઓ, સહન કરી, માત્ર કષ્ટો જ સહન કર્યા. સાધુ જીવનમાં તો દુઃખો અને કષ્ટો, માન અપમાન પણ આવે, પરંતુ અમને આવું સુખ, આવો વૈભવ જોવા કે માણવા નથી મળ્યો. અંદરમાંથી બહાર આવ્યાં. તમે એટલા માટે ધ્યાનથી સાંભળજો. તમને એમ ન થાય કે આ તો સંભૂતિને થાય, અમને ન થાય. ફાંકો ન રાખશો. ચિત્ર મુનિ કહે છે કે તમને કેમ આ સંકલ્પ ઊઠ્યો? આ છ ખંડનો માલિક સનતકુમાર તો વંદન કરી પુણ્યના ઢગલા બાંધી ગયો, એણે તો ધર્મ કર્યો પણ તમને આવો વિકલ્પ કેમ ઊઠ્યો? તે વખતે સંભૂતિ મુનિ કહે છે કે મારા જીવનમાં મેં જે વ્રતો કરી પુણ્ય બાંધ્યું છે, તેનું ફળ મળે તો મારે પણ આવતાં જનમમાં ચક્રવર્તી થવું છે. મને પણ આવો વૈભવ મળે. “ક્યાંરે જવું હતું અને ક્યાં જઈ ચડ્યાં, અમે ભવનાં મુસાફર ભૂલાં પડ્યાં.” આ ઘટના કોમન છે, સામાન્ય છે, આપણાં જીવનમાં પણ આમ જ થાય છે. જે લોકો ધર્મ કરે છે, જે યોગની અને ધ્યાનની સાધના કરે છે, તેમની નજર માત્ર આત્મા ઉપર નથી. ધન ઉપર જાય છે અને સત્તા અને સંપત્તિ ઉપર પણ જાય છે. ગુરુ મહારાજના આશીર્વાદ મળે તો શેરના ભાવ વધે. જો ગુરુ મહારાજ આશીર્વાદ આપી ધન વધારી શકે તો પોતે જ શેર ન રાખે? આ ભૌતિક પ્રેમ છે. ગુરુ મહારાજને હાથ જોડી કહે કે અમારો રોગ મટી જાય. રોગ કદાચ મટતો હશે પરંતુ એટલા માટે ગુરુ મહારાજ નહિ. એમ કહો કે “મહારાજ! રોગ થયો તેમાં મારી ભૂલ છે. અશાતા વેદનીય કર્મ કારણ છે. મારા ઉપર એવી કૃપા કરજો કે હું સમાધિપૂર્વક, સમતાપૂર્વક, ભોગવી મારા બાંધેલા કર્મોની નિર્જરા કરી શકું. તમારા આશીર્વાદથી અને તમારી કૃપાથી મારા જીવનમાં આનંદ આવે.” પણ નજર અને દૃષ્ટિ બદલાય તો આમ કહો ને! હજુ દષ્ટિ બદલાણી નથી. જાતને પૂછો, દષ્ટિ બદલાણી? દૃષ્ટિ સત્તા ઉપર, વૈભવ ઉપર, સંપત્તિ અને ભોગ ઉપર છે. દેહ અને સ્ત્રી ઉપર, પુરુષ ઉપર, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy