SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૩૩ આપવા જતાં હો તો હાથમાંથી છટકી જાય તો ચા તો જાય પણ હાથમાંથી કપ રકાબી પડે તેના ટુકડે ટુકડા થઈ જાય, તો શું થાય? હૈયાના ટુકડા થાય કે નહિ? તે વખતે તમે બોલશો કે હું અવિનાશી, જગતની બધી વસ્તુ વિનાશી છે. જ્ઞાની પુરુષ જો હાજર હોય તો કહેશે કે ઐસા હી હોનેવાલા થા.” નાશવંત છે, ક્ષણભંગુર છે. કપરકાબી તૂટે પણ પોતે ન તૂટે. આપણને તો હૈયામાં તરાડ પડે કે મારાં કપરકાબી તૂટ્યા. તમારા કપરકાબી તૂટ્યા પણ તમે રહ્યા કે નહિ? જ્ઞાન જ્યારે થશે ત્યારે તમારું જીવન સહેલું થઈ જશે. તમે સુખી થઈ જશો. હસતાં હસતાં જીવી શકશો. જ્ઞાન થાય એટલે આંતરિક અવસ્થા બદલાય છે, ન ભય, ન ચિંતા, ન ક્રોધ, ન અહંકાર, ન માયા, ન આસક્તિ, ન મૂર્છા, ન મમત્વ, ન મારાપણું, ન લેના કે દેના. હસતાં હસતાં બોજા વગર તમને જીવવું ગમે કે નહિ? પરંતુ સાહેબ ! એ બીજા કશાથી ન થાય. અનુભવ જ્ઞાનથી મોહનો ઉપશમ થશે ત્યારે આવી અવસ્થા પ્રાપ્ત થાય. જ્યાં સુધી આવી અવસ્થા ન આવે ત્યાં સુધી સાધન છોડવાના નથી. નદીના કિનારે આવો, પછી નીચે ઊતરો અને નૌકા છોડો. અધ વચ્ચે ઊતરશો તો ડૂબી જશો. જ્ઞાનદશા એટલે આંતરિક દશા પ્રાપ્ત થયા પછી સાધન છોડવાં નહિ પડે, એની મેળે છૂટી જશે. શું કહે છે જ્ઞાની પુરુષો? જ્ઞાનદશા પામે નહિ, સાધનદશા ન કોઈ, પામે તેનો સંગ છે, તે બૂડે ભવમાંહી. જ્ઞાની ન હોવા છતાં એ સ્વછંદી બની ગયો, પોતાના છંદે ચાલ્યો. ખરેખર તો એ મોહના હાથનું રમકડું છે, અને મોહરાજાને આવા પાત્રો સાથે કામ કરવું બહુ ગમે. તમે ચૂંટણીમાં ઊભા હો અને સામેના ઉમેદવારને હરાવવો હોય તો મહેનત તો કરવી પડે. તમે બહુમતિથી ચૂંટાઈ આવો અને બજારમાં ચાલો તો છાતી કેવી ફૂલે? મારા સામે એ જેવો તેવો તો ન હતો, છતાં હારી ગયો. મોહરાજાને લાગે કે રેંગીયેંગીને હરાવવામાં શું વળે? કોઈ જ્ઞાની, કોઈ સંન્યાસી કે સાધુ મળી જાય, મોટો તપસ્વી મળી જાય અને તેને હરાવીએ તો રંગ રહી જાય. મારો ઝંડો ઊંચો રહે. આ મોહથી બચવા જેવું છે. જાગૃત રહેજો. આ મોહનું રાજકારણ છે. બચવાની તાકાત અંદર જોઈએ. અહીં એમ કહે છે કે જ્ઞાનદશા પામ્યો નથી અને સાધનો છોડી દીધાં, આવાનો જે સંગ પામે તે ભવસાગરમાં ડૂબી જાય. પોતે તો ડૂબશે પણ તેનો જે સંગ પામશે તેને પણ ડુબાડશે. જ્ઞાની પુરુષ કહે છે કે એકલાં રહેજો, પરંતુ આવાનો સંગ ન કરતાં. જે અનુભવી પુરુષ છે તેનો સંગ કરજો. જેની આંતરિક દશા બદલાણી છે, ટ્રાન્સફરમેશન થયું છે તેનો સંગ કરજો. અજ્ઞાની-જેની દશા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy