SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ પ્રવચન ક્રમાંક - ૨૬, ગાથા ક્રમાંક - ૨૬ ચરણ પકડવાં, તેમનાં ચરણે શ્રદ્ધાનું ફૂલ અર્પણ કરવું, તે કઠિનમાં કઠિન વાત છે. એક વખત આવું શ્રદ્ધાનું ફૂલ સદ્ગુરુનાં ચરણે અર્પણ કરશો તો મોક્ષ માગવાની જરૂર નહિ રહે. મોક્ષ હથેળીમાં હશે. આ થોડી થોડી ભૂલ જીવ ક્યાં કરે છે તેનું વર્ણન થાય છે. તમે તો આખી આત્મસિદ્ધિ મોઢે કરી છે. ક્યાં ક્યાં જીવની ભૂલ થઈ ? એણે સદ્ગુરુ અને અસદ્ગુરુમાં કેવી ભૂલ કરી ? તીર્થંકરનું સ્વરૂપ સમજવામાં કેવી ભૂલ કરી ? તે વાત થઈ, હવે શાસ્ત્ર સમજવામાં કેવી ભૂલ કરો છો તેની વાત છે. તમે અમુક શાસ્ત્ર અથવા આત્મસિદ્ધિ વાંચતાં ખોટો અર્થ કરો તો શાસ્ત્ર કહેશે નહિ કે ભાઈ ! તું ખોટો અર્થ કરે છે . શાસ્ત્ર બોલતું હોત તો ઘણું સારું થાત, પણ શાસ્ત્ર બોલતું નથી અને જે બોલે છે તેની વાત આપણે સાંભળવી નથી. ક્યાંથી મેળ પડે ? સત્શાસ્ત્રો શેનાં માટે છે ? શાસ્ત્રોમાં તમામ પ્રકારનું વર્ણન આવે, પરંતુ શાસ્ત્રોનો હેતુ તો ‘જીવને નિર્મળ કરવા માટે છે.’ પરમકૃપાળદેવે કહ્યું છે કે ‘શાસ્ત્ર સર્વ કહ્યાં વિશેષે, જીવ કરવાં નિર્મળો.’ બધા જ શાસ્ત્રો જીવને નિર્મળ કરવાં માટે છે. આ શાસ્ત્રોમાં દેવગતિ, નરકગતિની વાતો આવે, લવણ સમુદ્ર અને મેરૂ પર્વતની વાત આવે. દેવગતિનાં ભાંગા અને નરકનાં પ્રતરની વાત પણ આવે. આપણે આ બહારમાં જ અટવાઈ રહ્યાં છીએ. ફક્ત એટલાં માટે જ શાસ્ત્રો નથી, એ તો આનુસંગિક વર્ણન છે. શાસ્ત્રો તો પોતાની જાતને ઓળખવાં માટેછે. ૨૭મી ગાથામાં તેનું વર્ણન છે. ૨૮મી ગાથામાં આપણી આખી સાધનાની પાયામાંથી ક્યાં ભૂલ થાય છે તેની વાત આવશે. ૨૯મી ગાથામાં આ જીવ નયદૃષ્ટિનો કેવો ઉપયોગ કરે છે, તેની વાત આવશે. અને ૩૦મી ગાથામાં આ જીવ જ્ઞાનદશા પામતો નથી, સાધનો છૂટી જાય છે, અને બધેથી રખડે છે તેની વાત આવશે અને પછી મુમુક્ષુની વાતનો પ્રારંભ થશે. દર્શનમોહનો પ્રબળ વેગ જેનામાં છે તે મતાર્થી. જેનો દર્શનમોહ મંદ અને મોળો પડ્યો છે, તેનું જોર ઘટ્યું છે તે મુમુક્ષુ, અને દર્શનમોહનો ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષય થાય તે સમ્યગ્દષ્ટિ. આત્મસિદ્ધિમાં મુમુક્ષુ શબ્દે પ્રવેશ કર્યો છે. આપણી વર્તમાનમાં હાલત કેવી છે તે બતાવવા માટે પહેલા મતાર્થીની વાત કરી. પછી આપણે કેવા થવું જોઈએ તે સમજાવવા મુમુક્ષુની વાત કરી. અને પછી આત્માના ષટ્પદ એટલે સમ્યગ્દર્શનની વાત કરી. સમ્યગ્દષ્ટિ, મુમુક્ષુતા અને મતાર્થી ત્રણેને સમજી લઈએ. મતાર્થી મટવું છે, મુમુક્ષુ થવું છે અને સમ્યગ્દષ્ટિ થઈને મરવું છે તે નક્કી છે ને ? એવી હામ કેળવો કે દોસ્ત મૃત્યુ ! તું ઊભો રહેજે, મારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે જીવવું છે. આ સાહસ જીવનમાં જોઈએ. બહુ ધ્યાનથી અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy