SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૯૧ છીએ. હાથમાં કંઈ છે નહિ અને વાત ઘણી કરીએ છીએ. આત્માને અનુભવ્યો નથી અને આત્મા ઉપર બે કલાક લેક્ટર કરીએ છીએ. બે કલાક પછી પૂછો, આત્મા કેવો છે? અનુભવ થયો છે? ખબર નથી. પાણિની વ્યાકરણના એક પ્રયોગની પંડિતો ચર્ચા કરતાં હતાં, આ પ્રયોગ બરાબર નથી, આ ઉચ્ચાર બરાબર નથી, વ્યાધ્ર ઉચ્ચાર બરાબર છે. આ ચર્ચા ચાલતી હતી. એટલામાં વાઘ આવ્યો અને વાઘે પોતાનું કામ પૂરું કરી લીધું. ચર્ચા ચર્ચાને ઠેકાણે રહી ગઈ. પંડિતો ચર્ચામાં રહી જાય છે. આપણી પણ હાલત આ છે. ચર્ચા કરીએ છીએ કે સમયસાર આમ કહે છે, પ્રવચનસાર આમ કહે છે, ફલાણા મહારાજ આમ કહે છે. તું શું કહે છે, એ કહે ને? તને શું સમજાયું છે? તે શું સાર લીધો? શંકરાચાર્યજીનાં જીવનની એક મહત્ત્વની ઘટના છે. મોટી ઉંમરે એક ભાઈ સંન્યાસી થયો. પછી તેને થયું કે હું પણ વ્યાકરણ, ન્યાય, કાવ્ય ભણું. તેણે વ્યાકરણથી શરૂઆત કરી. વ્યાકરણમાં એક સૂત્ર આવે છે. ડુક કરણે”—તે કંઠસ્થ કરતો હતો, પણ કંઠસ્થ થાય નહિ અને યાદ ન રહે. શંકરાચાર્યજી ત્યાંથી નીકળ્યાં, તેમણે કહ્યું “હે મુનિ! નહિ નહિ તારે કૂડુ કરણે, ભજ ગોવિન્દ, ભજ ગોવિન્દ, ભજ ગોવિન્દ મૂઢમતે ! આ ઉંમરે તું ભગવાનનું ભજન કર. આ ‘ડુકૂડુ કરણે તને નહિ તારે.” શાસ્ત્રો માત્ર આટલું શીખવા માટે નથી કે ગોખવા માટે નથી. શાસ્ત્રો આત્માને નિર્મળ કરવા માટે છે. મતાર્થી આ શાસ્ત્રોનો ઉપયોગ આત્માને નિર્મળ કરવા માટે કરતો નથી. દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુતજ્ઞાન', આ આટલી જ કડી તમામ શાસ્ત્રો માટેનો આપણો અભિગમ બિલકુલ સ્પષ્ટ કરે છે. બિનજરૂરી ચર્ચામાં રોકાશો નહિ. લોકો પૂછે છે કે શાસ્ત્રોમાં લખેલ મેરૂ પર્વત સાવ સોનાનો છે? તે ક્યાં આવ્યો? મેરૂ પર્વત ખરેખર છે? સ્વયંભૂરમણ સમુદ્ર છે કે નહિ? અરે ! તું પોતે કોણ છે તે નક્કી કરી લે ને? નહિ તો શાસ્ત્રો વાંચવાનો પરિશ્રમ નિષ્ફળ જશે. અને બીજી મુશ્કેલી એ કે “માને નિજ મત વેષનો આગ્રહ મુક્તિ નિદાન.” પોતાના મતનો અને વેષનો જ આગ્રહ રાખે છે. મુક્તિ માટે ક્યો વેષ હોય તે નક્કી કરી, તેનો જ આગ્રહ રાખે છે. ખરેખર તો સિદ્ધશીલા પર જઈ તપાસ કરવી જોઈએ કે ત્યાં બહાર કંઈ લખી રાખ્યું છે કે કાળા કપડાં કે પીળાં કપડાંવાળા માટે અથવા કપડાં વગરનાં માટે અહીં એડમીશન છે. કયા કપડાંવાળાં ત્યાં પહોંચી શક્યા, તેની તપાસ કરવી જોઈએ. અરે ! વીતરાગ થયા વગર મોક્ષ નથી મળતો. મોક્ષ માટે મોહ જવો જોઈએ. રાગ, વેષ, કષાયો જવા જોઈએ. શું તમને લાગે છે કે રાગ, દ્વેષ, મોહ ઠાંસી ઠાંસીને ભરેલાં હોય અને છતાં ધોળાં કપડાંથી મોક્ષ મળે? યશોવિજયજી મહારાજ એમ કહે છે કે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy