SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૪૧ વિનયથી મોક્ષની પ્રાપ્તિ થાય, અને “ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન” ગુરુ છબસ્થ રહ્યાં, અને શિષ્ય કેવળજ્ઞાની થવા છતાં પણ, તેમની સેવા આ ભગવાન કરે છે, માટે તમે અમારી સેવા કરો.” અસદ્ગુરુને શોષણ કરવું છે, લૂંટ ચલાવવી છે, શિષ્યનો દુરુપયોગ કરવો છે. તેઓ આ સિદ્ધાંતોનો દુરુપયોગ કરી શકે છે. આવો લાભ લેનાર જગતમાં ઘણાં છે અને લાભ આપનાર પણ ઘણાં છે. ચેલાઓ પણ એવાં છે કે જેમનામાં ગમ નથી. ગુરુઓ પણ એવાં છે જેમનામાં લાયકાત નથી. વેપારી પાસે માલ નથી અને ઘરાક પાસે પૈસા નથી, આ બેનો મેળ પડે તેમ નથી. અસગુરુ પાસે આત્મજ્ઞાન નથી અને શિષ્યો પાસે સદાચારની મૂડી નથી. માટે આ સિદ્ધાંતોનો વધારેમાં વધારે દુરુપયોગ કોઈએ કર્યો હોય તો અસગુરુએ કર્યો છે. અસર એ વિનયનો લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી બૂડે ભવજળ માંહી.” આ ટીકા નથી, વિરોધ નથી, નિંદા નથી પણ સ્પષ્ટ ચેતવણી છે. એમ કહેવું તે ગુનો નથી કે રસ્તામાં કાંટા પડ્યાં છે, જરા સાચવીને ચાલજો. રસ્તામાં કેળાની છાલ પડી છે, જોઈને ચાલજો. “ખાડો આવે તો આંખ ઉઘાડીને ચાલજો, નહિતર હાડકાં ભાંગી જશે' તેમ કહેવું એ ગુનો નથી. આ તો બચાવવાની વાત છે. અસદ્દગુરુએ આ વિનયનો લાભ ન લેવો જોઈએ, છતાં લે છે. કારણ? અસદ્દગુરુને દુષ્કર્મોનો, પાપનો ભય નથી. તેમને આધ્યાત્મિક સાધના કરવી નથી, મોક્ષ મેળવવો નથી કે વીતરાગતા પ્રાપ્ત કરવી નથી. એમને પોતાનો સ્વાર્થ સાધી માન મેળવવું છે. ગુરુ લોભી, શિષ્ય લાલચુ, દોનો ખેલે દાવ, ' તરે નહિ, તારે નહિ, જૈસી પત્થર નાવ. જેમ પત્થરની નાવતરે નહિ અને તારે પણ નહિ. અખાને આ વાતની સૌથી વધારે પીડા થઈ, તેણે કહ્યું કે ગુરુ કરાવ્યા ગોકુળનાથ, ઘરડાં બળદને નાખી નાથ. ઘરડો બળદિયો તે શિષ્ય, તેને નાથ નાખી અને “ધનહરે પણ ધોકોનહરે', ભવનો ધોકો કે સંસારનો ધોકો હરતો નથી. અસદૂગુરુ ઉપદેશ આપી કહે છે કે જુઓ, જ્ઞાની પુરુષોએ શાસ્ત્રોમાં વિનયનો માર્ગ કહ્યો છે, સમર્પણનો અને ભક્તિનો માર્ગ કહ્યો છે, તો તમે અમારી ભક્તિ સેવા, વૈયાવચ્ચ કરો. પરમકૃપાળુદેવે બહુ ભારેખમ શબ્દ વાપર્યો છે કે સ્ત્રી પ્રત્યે આકર્ષણ થાય તો મોહ, પૈસા અને સત્તા ઉપર આકર્ષણ થાય એ મોહ, માનપાન અને પ્રતિષ્ઠા પ્રત્યે આકર્ષણ થાય તે મોહ, આ મારું, આ તારું એ મોહ, મમત્વભાવ થાય તે મોહ, અહંકાર આવે તે મોહ, પરંતુ અસંગુરુ જ વિનયનો લાભ લે તો તે મહામોહ. શાસ્ત્રોમાં કહ્યું છે કે મહામોહના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy