SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ પ્રવચન ક્રમાંક - ૨૧, ગાથા ક્રમાંક - ૨૨ અગ્નિની ઉપમા આપી છે. “ધ્યાન હુતાશન યોગ, ધ્યાન એ પ્રજ્જવલિત અગ્નિ છે. જેમ અગ્નિ પ્રગટ થાય અને મોટું વન બળીને ખાક થઈ જાય તેમ અનંતકાળનાં રાગ, દ્વેષ અને મોહને બાળવાની શક્તિ ધ્યાનરૂપી અગ્નિમાં છે. તે બળ્યા પછી વીતરાગતા પ્રાપ્ત થાય. વીતરાગતા આવે તો કેવળજ્ઞાન આવે અને કેવળજ્ઞાન થાય પછી મોક્ષની પ્રાપ્તિ થાય. “મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય.” આ માર્ગનો મૂળહેતુ છે, કોઈ લક્ષ છે અને આનું કંઈક ગુપ્ત રહસ્ય છે. હેતુ એ છે કે વિનયથી સત્પરુષની સેવા, તેમાંથી સર્બોધ, સબોધથી સતશ્રુત અને તેનાથી સદાચાર, સદાચારથી આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનથી આત્મધ્યાન, આત્મધ્યાનથી વીતરાગતા, વીતરાગતામાંથી કેવળજ્ઞાન અને કેવળજ્ઞાનથી મોક્ષ. મોક્ષ જોઈતો હોય તો આ મોક્ષનો ઉપાય છે, આ મોક્ષમાર્ગ છે. આ સીધો રસ્તો છે. અહીં પરમકૃપાળુદેવે કડક ચેતવણી આપી છે કે દુનિયામાં હંમેશા સાચી અને યથાર્થ વાતનો દુરુપયોગ પણ થાય છે. માલમાં જ્યારે ભેળસેળ થાય ત્યારે શુદ્ધમાલ હોય તો ભેળસેળ થાય. અશુદ્ધિમાં તમે શું ભેળવશો? થોડું ચોખ્ખું ઘી હોય તો તેમાં વેજીટેબલ ઘી ભેળવાય, પરંતુ નર્યું વેજીટેબલ જ હોય તો શું ભેળવશો? સત્યમાં પણ ભેળસેળ થઈ શકે. સાધકની મુશ્કેલી એ છે કે સત્ય તેને પહેલાં શોધવું પડે અને સત્યમાં જે કચરો ભળી ગયો છે તેને પછી દૂર કરવો પડે. સત્યમાં ભળેલ કચરાને દૂર કરવા માટે જો કોઈ સાધન હોય તો તે છે પ્રજ્ઞા. પ્રજ્ઞા મળને દૂર કરે છે. નિર્ભેળ સત્ય, નવું સત્ય, નિર્દોષ સત્ય આપણને પ્રાપ્ત થતું નથી. તેના માટે પ્રજ્ઞા જોઈએ. એટલા માટે એમ કહ્યું કે આ વિનયનો માર્ગ તો છે, તેનો મૂળ હેતુ પણ છે, પરંતુ જે જીવ સુલભબોધિ, નિકટભવી, હળુકર્મી હશે, આરાધક હશે, જેને ભીતર લગની લાગી હશે, તાલાવેલી લાગી હશે, જે અંદર નમ્ર બન્યો હશે, જે મોક્ષ માટે ઉદ્યમશીલ બન્યો હશે, એ આ માર્ગને સમજશે. બધા આ માર્ગને સમજે નહિ. માટે “મૂળહેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય.” બહુ અભુત શબ્દ વાપર્યો છે “સુભાગ્ય', એટલે કે ભાગ્યશાળી ભાગ્યશાળી તેને કહેવાય જે સંસારમાં લાંબો ટાઈમ રહેવાનો નથી, જેને સરળતાથી બોધ પ્રાપ્ત થઈ શકે છે. સુલભબોધિ અથવા ભાગ્યશાળી હશે તે આ મૂળ હેતુ સમજશે. જગતમાં આ ઉપદેશનો અથવા સિદ્ધાંતોનો દુરુપયોગ કરનાર પણ હશે અને એ પાત્ર છે અસદ્ગુરુ. સદ્ગુરુ એ આધ્યાત્મિકતાનું મુખ્ય દ્વાર છે અને અસદ્ગુરુ એ આધ્યાત્મિક માર્ગમાં ઊંડી ખાઈ છે. એ ખાઈ દૂર કરવી પડે. એ ખાઈમાં જો પડ્યાં તો બહાર આવવું ઘણું મુશ્કેલ છે. અસગુરુ એમ કહેશે કે “જુઓ, શાસ્ત્રમાં વિનયનો માર્ગ કહ્યો છે, ભક્તિનો માર્ગ કહ્યો છે, સમર્પણનો માર્ગ કહ્યો છે, અહંકારના લયનો માર્ગ કહ્યો છે. સદ્દગુરુને આધીન થઈને રહેવાનો માર્ગ કહ્યો છે, માટે તમે અમારી સેવા કરો. શાસ્ત્રમાં કહ્યું છે ને કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy