SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ XXVI ભાવવંદના | ભારતી એન. મહેતા પરમ પૂજ્ય ગુરુજીના ભાવો અને વાણીથી ભાવિત થઈને આલેખાયેલું આ પદ તેમના ૮૧ મા વર્ષમાં મંગળ પ્રવેશ દિને તેમના ચરણકમળમાં મારા હૃદયના અતિ ઉલ્લાસથી અર્પણ. ગુરુજીના ભાવ મને ભીંજવે રે લોલ, ગુરજીની વાણી મને ભીંજવે રે લોલ, એમાં જ્ઞાન - આનંદ છલકાય જો. શ્રદ્ધાનું તેલ અખૂટ ભર્યું રે લોલ, જ્ઞાન-દર્શનની જ્યોત જલકાય જો. ગુરુજીના ભાવ મને ભીંજવે રે લોલ...૧ સમતાનો સાગર ગંભીર ભર્યો રે લોલ, રાગ-દ્વેષનું નહીં નામ નિશાન જો. જ્ઞાની સંતોની વાણી એમાં ભરી રે લોલ, સર્વે સંતોનો ઉપદેશ સમજાય જો . ગુરુજીના ભાવ મને ભીંજવે રે લલ...૨ એમની વાણીમાં બોધ-અમૃત ભર્યો રે લોલ, આત્મસિદ્ધિનો સાર સમજાય જો. એમની વાણીમાં અધ્યાત્મ રસ અભુત ભર્યો રે લોલ, એમાં તત્ત્વનું જ્ઞાન ઘૂંટાય જો. ગુરુજીના ભાવ મને ભીંજવે રે લોલ...૩ કરુણા ને પ્રેમરસ એમાં વહે રે લોલ, ગહન ભાવો, સરળતાથી સમજાય જો. એમની મીઠી નજર સૌને ભીંજવે રે લોલ, એમાં આશીર્વાદ ને ક્ષમાભાવ પરખાય રે. ગુરુજીના ભાવ મને ભીંજવે રે લોલ...૪ એમનો ઉપદેશ સિદ્ધાંતોથી સમજાવતા રે લોલ, જેથી ભાવાર્થ સરળ થઈ જાય જો. એમાં નિશ્ચયનયનો સાર મુખ્ય રહ્યો રે લોલ, વ્યવહાર નય સમજને ગૌણ થઈ જાય જો. ગુરુજીના ભાવ મને ભીંજવે રે લોલ...૫ એમાં આત્માની એકત્વતા મુખે કરી લોલ, બીજા સર્વેથી ભિન્ન થઈ જવાય જો. એમની વાણીમાં સિંહ કેરી ગર્જના રે લોલ, સૌનો આત્મા જાગૃત થઈ જાય જો. ગુરુજીના ભાવ મને ભીંજવે રે લોલ...૬ એ તો પર્યાયની સ્વતંત્રતા સમજાવતા રે લોલ, જેથી આત્મા ભણી દૃષ્ટિ જાય જો. એ તો ભેદજ્ઞાનની અમૂલ્ય વિધિ સમજાવતા રે લોલ, જેથી પરિણતિ વિશુદ્ધ થતી જાય જો. ગુરુજીના ભાવ મને ભીંજવે રે લોલ...૭ એ તો ત્રિકાળી અખંડને સમજાવતા રે લોલ, જેથી ખંડ ખંડ જ્ઞાન વિલીન થાય જો. એ તો આત્મા અને આશ્રવનો ભેદ સમજાવતા રે લોલ, જેથી વિજ્ઞાનઘન સ્વભાવ ખીલી જાય જો. ગુરુજીના ભાવ મને ભીંજવે રે લોલ...૮ એ તો શાંતિનું સ્વરૂપ સમજાવતાં રે લોલ, જેથી સમ્યક્ત્વનું મૂલ્ય સમજાય જો. ગુરુવાણીને પ્રેમે મારી વંદના રે લોલ, એમાં જિન સ્વરૂપ દર્શન થાય જો . ગુરુજીના ભાવ મને ભીંજવે રે લોલ...૯ જિનવાણીને પ્રેમે મારી વંદના રે લોલ અને સદગુરુને કોટિ કોટિ પ્રણામ જો . ગુરુજીના ભાવ મને ભીંજવે રે લોલ...૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy