SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ XXIV त्वदीयं तुभ्यं समर्पयामि આત્માર્થી જીવોના શ્રેયાર્થે ભાવકરુણાવશ અત્યંત ઉપકારી પૂ. ગુરુજી શ્રી ભાનુવિજયજી મહારાજના હૃદયમાંથી ઉદ્ભવેલ “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર”ઉપરના પ્રવચન પુષ્પોની આ પ્રવચનમાળા ગ્રંથ રૂપે પૂ.ગુરુજીના કરકમળમાં અર્પણ કરતાં અત્યંત હર્ષ અને ધન્યતા અનુભવીએ છીએ. અનંત ઉપકારી પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિશાસ્ત્રની ૧૪૨ ગાથાઓમાં ૧૪ પૂર્વનો સાર સમાવી, અદ્ભુત રચના કરી, આપણા ઉપર અસીમ ઉપકાર કરેલ છે. આ બધી ગાથાઓ સવિસ્તાર ખોલી ખોલીને સરળ અને સુગમ શૈલીમાં તથા વ્યવહારિક જીવનમાં બનતાં સંયોગોના દૃષ્ટાંતો આપીને અમને અત્યંત પ્રેમ અને કરુણાપૂર્વક જે ઉપદેશ આપ્યો છે, તે બદલ અમે મુમુક્ષુ જીવો આપના અત્યંત ઋણી છીએ. આપે આપનું હૃદય વલોવી અમૃતતુલ્ય ઉપદેશ આપવાનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરેલ છે, તે પાછળ આપની અપાર કરુણા જ છે. સર્વ જીવોનું કલ્યાણ થાય અને કૃપાળુદેવનો બોધ મુમુક્ષુ જીવોમાં સ્પષ્ટપણે હૃદયગત થાય, એ વાત લક્ષમાં રાખી, આપે આત્મસિદ્ધિશાસ્ત્ર ઉપર પ્રવચનો આપેલ છે. ગુરુજી ! આપની કરુણા, પ્રેમ, વાત્સલ્ય અને સમતાભાવોને અમારા જીવનમાં ઉતારવાનું અહોભાગ્ય પ્રાપ્ત થાય તેવી ભાવના ભાવીને, સર્વ દર્શનોના સારરૂપ આ અદ્ભુત આધ્યાત્મિક ગ્રંથ त्वदीयं तुभ्यं समर्पयामि ડૉ. એસ.ટી. કોટક સુશ્રી રાઈબેન ઈ. પટેલ શ્રી નિરંજનભાઈ મહેતા ભારતીબેન એન. મહેતા • શ્રી જગદીશભાઈ વોરા - . મહેન્દ્રભાઈ સી. શાહ શ્રી અનિલભાઈ દોશી શ્રી ઈશ્વરભાઈ કે. ચૌધરી તથા મુમુક્ષુ ભાઈ બહેનોનાં ગુરુજીના ચરણકમળમાં વંદન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy