SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ પ્રવચન ક્રમાંક - ૧૮, ગાથા ક્રમાંક - ૧૭ સાંબેલું વગાડવાનું શક્ય બનતું નથી. જે પ્રકારનું કાર્ય હોય તેને તે પ્રકારનું કારણ જોઈએ. કારણ કાર્યની સંધિ તૂટે છે, માટે કાર્ય થતું નથી. સમજવા પ્રયત્ન કરજો. એટલા માટે ખેડૂતો બિયારણની તલાશ બહુ કરે છે. શુદ્ધ બિયારણ જોઈએ. સર્ટીફાઈડ બિયારણ વગર અનાજ ન થાય તેમ શુદ્ધ કારણ વગર શુદ્ધ કાર્યન થાય. સમ્યગદર્શન એ કાર્ય છે. તો સમ્યગદર્શન પ્રગટ થવા માટે સમ્યગદર્શનને અનુકૂળ કારણ કયું? તેની સ્પષ્ટતા પરમકૃપાળુ દેવે સત્તરમી ગાથામાં કરી છે. બહુ મહત્ત્વની ગાથા છે. દર્શનમોહનો ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમ થતાં જે નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ થાય તેને જ્ઞાની પુરુષ નિશ્ચય સમ્યક્ત્વ કહે છે. આ અનુભવની ઘટના છે, તે કહી શકાતી નથી કે કન્વર્ટ કરી શકાતી નથી, બીજાને આપી શકાતી નથી. આ ઘટના સ્વયંમાં-પોતામાં ઘટે છે. પોતે જાણે છે. પોતે જ અનુભૂતિ કરે છે, અને પોતે તેમાં ડૂબે છે. ત્યાં કોઈ હાજર નથી. જે વખતે આ અનુભૂતિ થાય તે વખતે વ્યક્તિ હાજર નથી, શાસ્ત્રો હાજર નથી. વિચારો કે વિકલ્પો હાજર નથી. માત્ર તે એકલો છે. સંપૂર્ણ એકલો છે. સમ્યગદર્શનમાં શું થાય છે? શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ, નિશ્ચયનયની અપેક્ષાએ જે શુદ્ધ ચૈતન્યની વાત કરી છે તે શુદ્ધ ચૈતન્ય સાથે કર્મની, વિકારની, વિભાવની, રાગની, દ્વેષની જે ઉપાધિ છે તેને બાદ કરીને, ગતિ, માર્ગણા, વેશ્યા, ગુણસ્થાનક, આઠ કર્મ તથા તે કર્મબંધના કારણો એ બધાને બાદ કરીને, જે બાકી રહે છે તે શુદ્ધ આત્મ તત્ત્વની જે અનુભૂતિ થાય તે નિર્વિકલ્પ આત્મતત્ત્વની અનુભૂતિ સમ્યગદર્શનમાં થાય છે. આ ધરતી ઉપરની તે અદ્ભુત ઘટના છે. મોક્ષમાં જતાં પહેલાં આ ધરતી ઉપર પોતાના શરીરમાં આ ઘટના ઘટે છે. આ દેહમાં તેનો પ્રત્યક્ષ પ્રગટ અનુભવ થાય છે, સ્વયંનો અનુભવ થાય છે. બીજા પાસે હોય તો, તે પણ જાણી કે જોઈ શકે નહિ. ઘટના પોતામાં ઘટે છે. એ ઘટના જ્યારે ઘટે છે ત્યારે નિર્વિકલ્પ અવસ્થા હોય છે. ત્યાં કોઈ શાસ્ત્રનો કે ચિંતનનો આધાર નથી, કોઈ પુરુષનો આધાર નથી, ત્યાં બધું જ ગેરહાજર, માત્ર શુદ્ધ ચૈતન્ય હાજર. શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ શુદ્ધ ચૈતન્ય પોતે જ કરે છે, પોતાના દ્વારા પોતાની અનુભૂતિ. આવી અલૌકિક ઘટના સમ્યગુદર્શનમાં થાય છે. અહીં ત્રણ શબ્દો આવે છે. અનુભવ જેને કરવો છે તે, જેનો અનુભવ કરે છે તે અને જેના દ્વારા કરે છે તે. જ્ઞાતા, શેય અને જ્ઞાન, દ્રષ્ટા, દશ્ય અને દષ્ટિ. આ ત્રિપુટીનો છેદ મૂકાઈ જાય છે. એ જ જ્ઞાતા, એ જ જ્ઞાન અને એ જ શેય અને તેની જ અનુભૂતિ. જે જાણનાર છે, જે જાણે છે એ પોતાની અનુભૂતિ કરે છે. આ સમ્યગદર્શનની ઘટના છે. આ એક અવસ્થા છે, એક આધ્યાત્મિક પરિવર્તન છે. અંદરમાં થતી અવસ્થા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy