SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક - ૧૮ ગાથા ક્રમાંક ૧૭ કારણ સમક્તિ સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ સમક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. (૧૭) Jain Education International ટીકા ઃસ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદ્ગુરુના લક્ષે ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે ‘સમકિત’ કહ્યું છે. (૧૭) ૧૯૯ આત્મસિદ્ધિમાં સમક્તિ શબ્દનો અર્થ ૧૭ મી ગાથામાં અને તે પણ કારણ સમક્તિને ગણીને કરેલ છે. આ ગાથાને બહુ ઊંડાણથી સમજવા પ્રયત્ન કરીએ. કારણ અને કાર્ય આ વિશ્વની સાંકળ છે. કારણ જોગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ, પણ કારણ વિણ કારજ સાધીએ રે, એ નિજ મત ઉન્માદ. (આનંદઘનજી મ.) કારણના યોગે કાર્ય ઉત્પન્ન થાય તેમાં કોઈ વિવાદ કે મતભેદ ન થાય, પણ કારણ વગર કાર્ય થાય તેમ જો કોઈ કહેતું હોય તો તે પોતાના મતનો ઉન્માદ છે. કારણ વગર કાર્ય સાધી શકાય, કારણ વગર ચાલે, તેના વિના કાર્ય સિદ્ધ થઈ શકે એવું કહીને કારણનો નિષેધ કરી કાર્યની અપેક્ષા રાખે એ વાત તો બિયારણ વાવ્યા સિવાય પાક તૈયાર થાય, માટી સિવાય ઘડો તૈયાર થાય અને દૂધ સિવાય ઘી મળી જાય અને ખાધા સિવાય ક્ષુધા તૃપ્તિ થાય તેવી છે. આ શક્ય નથી, કારણમાંથી જ કાર્ય થાય. જે પ્રકારનું કાર્ય થાય તેને અનુકૂળ કારણ જોઈએ, એટલે કારણ અને કાર્ય વચ્ચે ક્વોલિટી ડીફરન્સ ન ચાલે. બંને વચ્ચે ક્વોલીટી મેઈનટેન થવી જોઈએ, જળવાવી જોઈએ. જે પ્રકારનું કાર્ય થવાનું હોય તેને અનુકૂળ જ કારણ જોઈએ. એક શેઠ પાસે એક મઝાનો સંગીતકાર આવ્યો. તેણે પ્રેમથી વાંસળી અલગ અલગ રીતથી વગાડી અને ગાયું. પણ જેની પાસે ગાયું તે હૈયાનો બુઠ્ઠો હતો. એણે તો કહ્યું કે આમાં વળી શું નવાઈ કરી તેં ? આ વાંસળી તો પોલી છે એટલે વાગે જ ને, પણ સાંબેલું વગાડે તો તું સાચો છે એમ જાણું. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy