SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ XXII પુરોવચન ॐ अर्ह नमः શ્રીમણિ-બુદ્ધિ-મુક્તિ-કમલ-કેશર-ચંદ્ર-પ્રભવચંદ્રસૂરિસદ્ગુરુભ્યો નમઃ ‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ।' અધ્યાત્મમાર્ગમાં ત્રણ શબ્દો મહત્ત્વનાં છે. (૧) સાધ્ય (૨) સાધક (૩) સાધન સાધના. (૧) સાધ્ય ઃ અનંતજ્ઞાનાદિગુણથી યુક્ત આત્માનું શુદ્ધ પરમાત્મ સ્વરૂપ. (૨) સાધક : પરમાત્મદશાને પ્રગટ કરવાની રુચિવાળો અને પુરુષાર્થ કરતો મુમુક્ષુઆત્માર્થી (૩) સાધન ઃ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યક્ ચારિત્ર. આત્માના અનંતગુણોમાં જેમ જ્ઞાન ગુણ જીવનું લક્ષણ છે તેમ સમ્યગ્દર્શન એ શ્રદ્ધા ગુણની પર્યાય છે ને એ પાયાનો ગુણ છે. ‘સમક્તિ પામે જીવ જે, ભવગણતીએ ગણાય' (વીરવિજયજી મહારાજ) સમ્યગ્દર્શન પામ્યા પછી જીવના ભવોની ગણતરી થાય છે. આ ગુણના પ્રાગટ્ય માટે શ્રુતજ્ઞાન જરૂરી છે. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ માટે સદ્ગુરુ ને સત્શાસ્ત્રો પરમ આધાર રૂપ છે. વીતરાગ પરમાત્માના શાસનના અનેક મહાપુરુષોએ મુમુક્ષુ જીવોના આત્મશ્રેય માટે અનેક સત્શાસ્ત્રોની, ગ્રંથોની રચના કરી છે. શ્રીમદ્ભુએ ‘‘આત્મસિદ્ધિશાસ્ત્ર’’ની અદ્ભુત રચના કરી છે. સમ્યગ્દર્શનની ૬૭ બોલથી વિચારણા શાસ્ત્રોમાં છે. તેમાં સમ્યગ્દર્શનના નિવાસભૂત જે છ સ્થાનક તેને ગુરુ-શિષ્યના સંવાદરૂપે વર્ણવી મુમુક્ષુ વર્ગ ઉપર તેઓએ ઘણો મોટો ઉપકાર કર્યો છે. ‘ઠરે જીહાં સમક્તિ તે થાનક, તેહના વિધ કહીએ રે’ (ઉપા. યશોવિજયજી મહારાજ). સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અને સ્થિરતા થવામાં આ ષટ્કદની વિચારણા અત્યંત મહત્ત્વની છે. Jain Education International આ ગ્રંથ ઉપર પૂ.ગુરુજીએ મુંબઈમાં ૧૯ સત્રોમાં કુલ ૧૧૮ પ્રવચનો આપ્યા. ગ્રંથના ગહન તત્ત્વો જેવા કે નિશ્ચય, વ્યવહાર; ઉપાદાન, નિમિત્ત; દ્રવ્ય, ગુણ, પર્યાય; આદિને બાલ, મધ્યમ (આબાલ-ગોપાલ) આદિ મુમુક્ષુઓ સમજી શકે તે માટે લોકજીવનમાં જીવાતા ઉદાહરણો આપી લોકભોગ્ય બનાવવા પ્રયત્ન કર્યો છે, અને તત્ત્વજ્ઞાનને વધુ સ્પષ્ટ કરવા પુનરાવૃત્તિ પણ કરી છે. તથા ગહન તત્ત્વજ્ઞાનને વ્યાપક સંદર્ભમાં સમજાવવા માટે પ્રાચીન, અર્વાચીનયુગીન, ભારતીય પાશ્ચાત્ય તત્ત્વ ચિંતકો; બૌદ્ધિકો, ભક્તો જેમકે ગણધર ગૌતમસ્વામીજી, મહર્ષિ વેદ વ્યાસ, ભ. ગૌતમબુદ્ધ, શ્રી કુંદકુંદાચાર્યજી, શ્રી હરિભદ્રસૂરીજી, શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી આનંદઘનજી, ઉપા. યશોવિજયજી મ., શ્રી શંકરાચાર્યજી, કબીર, For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy