SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૩૯ આનંદધનજી વિગેરે મહાપુરુષોનો ખૂબ ખૂબ મોટો ઉપકાર છે. તેમણે માર્ગનું પ્રવર્તન કર્યું, તીર્થની સ્થાપના કરી, માર્ગ આપ્યો, પરંપરા આપી અને નેશનલ હાઈ-વે તૈયાર કર્યો. પત્થર અને ડુંગરમાં ખોદી ખોદીને બોગદાં તૈયાર કરે છે, તેમ વીતરાગ દેવોએ આ ડુંગર ખોદી ખોદીને પરમાર્થનો માર્ગ તૈયાર કર્યો છે, તો એમનું બહુમાન ન થાય? લક્ષ ન જાય? એ ગમે નહિ? આનંદ ન થાય? તેમને યાદ કરતાં કરતાં સાડાત્રણ કરોડ રોમ બેઠાં ન થાય? નાચવાનું મન ન થાય? જરૂર થાય કે તેમનો આવો અનંત ઉપકાર જરૂર છે, પણ વર્તમાનમાં આત્માની ભ્રાંતિ દૂર કરવી હોય તો જીવંત જ્ઞાની પુરુષ જોઈએ. આવો તાળો પરમકૃપાળુ દેવે મેળવ્યો છે. આ અભુત ગાથા છે. પરમકૃપાળુ દેવે પરમ સત્યની વાત કરી છે, પરમાર્થની વાત કરી છે. આત્મબ્રાંતિની વાત કરી છે, તેનું સમાધાન કરવું છે. તત્ત્વને જાણવું છે. આત્માને સમજવો છે તે અતીન્દ્રિય એટલે ઈન્દ્રિયથી પર છે. શબ્દોથી પર છે. અગોચર છે, વાણીથી પર છે, મનથી પર છે, બુદ્ધિથી પર છે, એવા આત્માને જાણવો છે. શાસ્ત્રો વાંચીને પણ તે સ્પષ્ટ થતું નથી. તે વખતે આત્મા આવી છે તેમ સમજાવનાર જીવંત જ્ઞાની જોઈએ. આ શાસ્ત્ર સર્વ કહ્યા વિશેષે, જીવ કરવા નિર્મળો. જીવને નિર્મળ કરવા આ શાસ્ત્રો ગાયા છે. આ બધા શાસ્ત્રો અનંતવાર વાંચ્યા, પણ પાર ન આવ્યો. આ પરસ્પર વિરોધ નથી. સમજવું જરૂરી છે. શાસ્ત્રોમાં શબ્દો છે. એમાં મર્મ નથી. મર્મ, અર્થ તો જ્ઞાનીના હૃદયમાં છે. મહાભારતમાં મહર્ષિ વ્યાસે એમ કહ્યું કે, સ્મૃતિઓ ભિન્ન ભિન્ન છે, શ્રુતિઓ ભિન્ન ભિન્ન છે, શાસ્ત્રો ભિન્ન ભિન્ન છે, કહેનારાં મહાપુરુષો પણ ભિન્ન ભિન્ન છે, જુદા જુદા વાદો અને સંપ્રદાયો છે, અમારે તત્ત્વને જાણવું છે તો અમારે કોની પાસે જવું? તો તેમણે એમ કહ્યું કે “ઘર્મચ તત્ત્વ નિહિત ગુણાયામ !” ધર્મનું જે પરમતત્ત્વ છે તે જ્ઞાની પુરુષના હૃદયમાં છે. તત્ત્વને જાણવું હશે તો જ્ઞાની પુરુષોના હૃદય સુધી પહોંચવું પડે. ત્યાં પહોંચવાનો રસ્તો પૈસો નથી, અધિકાર કે મોટાઈ નથી, સંપ્રદાય, મત કે માન્યતા નથી. માત્ર પ્રેમના રસ્તે એ હૃદય સુધી પહોંચી શકાય છે. નરસિંહ મહેતા એ કહ્યું કે મારો વહાલો કશાને વશ નથી. એ તો પ્રેમને વશ છે. પ્રેમના પંથ ગ્રંથ ન્યારા ઓધવજી, પ્રેમના પંથ ગ્રંથ ન્યારા. ગોપીઓ ભલે ભરવાડણ રહી, ભલે ગાયના છાણ વાસીદાં કરનાર રહી, ભલે અભણ રહી, પણ કહે છે કે ઓધવજી, પ્રેમના પંથ ન્યારા છે અને પ્રેમના ગ્રંથ પણ ન્યારા છે. આ કહેવાની હેસિયત ગોપીઓમાં નરસિંહ મહેતામાં, આનંદધનજી અને પરમકૃપાળુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy