SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ પ્રવચન ક્રમાંક - ૧૩, ગાથા ક્રમાંક - ૧૧ ભણતો હોય તો તેના માટે એ શિક્ષક શ્રેષ્ઠ હોવા છતાં તેઓ ભૂતકાળમાં થયેલ હોવાથી આજે એ શિક્ષક કામમાં નહિ આવે, પણ આજે જે શિક્ષક છે તે એના કામમાં આવશે. તમારા કુટુંબમાં સાત પેઢી પહેલાં મોટા વૈદ્ય થયાં હોય અને એ વૈદ્ય શ્રેષ્ઠ છે તેમાં ના નહિ, એ મોટા આયુર્વેદના આચાર્ય છે તેમાં ના નહિ, એ પતંજલિ જેવાં પ્રભાવશાળી છે તેમાં ના નહિ, એ ધનવંતરી વૈદ્ય જેવાં છે તેમાં ના નહિ, પણ આજે તમને જો તાવ આવ્યો હોય તો આજનો વૈદ્ય તમને જોઈશે. એ તમને ફાકીનું પડીકું આપશે. પેલા ધનવંતરી તમને પડીકું આપવા નહિ આવે. આવું તમને ક્યારેક કહેવામાં આવે તો તમે શું એમ માનશો કે ધનવંતરીનું અપમાન થયું ? એમ માનશો કે ધનવંતરીને ગૌણ કર્યા ? એમ માનશો કે ધનવંતરીની આશાતના કરી ? એમ માનશો કે ધનવંતરીને બાજુ પર મૂક્યા ? ચાણક્ય જેવો રાજનીતિજ્ઞ પુરુષ તમારા કુટુંબમાં થયો હોય અને આજે કાયદાની ગૂંચવણ ઊભી થઈ હોય તો પાલખીવાળા જ કામમાં લાગે. પહેલાં થયેલાં કામ ન આવે. આવું જ્યારે કહેવાય ત્યારે શું ચાણક્યને ઓછું મહત્ત્વ આપીએ છીએ ? ઓમકારનાથ ઠાકુરના સાત પેઢી પછી તેમના દીકરાઓ સંગીત શીખવા તૈયાર થાય અને પછી એમ કહે કે અમારે કોઈ સંગીત શિક્ષકની જરૂર નથી કારણ કે અમારા ઓમકારનાથ સંગીતના મહાનિષ્ણાત હતાં. એ શ્રેષ્ઠ હોવા છતાં ઓમકારનાથ ઠાકુર કામમાં નહિ આવે. તેમના પ્રત્યે આદર છે, સન્માન છે, સદ્ભાવ છે, ભક્તિ છે, અલૌકિક પ્રેમ છે પણ વર્તમાનમાં તો હાલના જ સંગીત શિક્ષક કામમાં આવશે. સંગીતનો શિક્ષક જોઈશે તેમાં ના નહિ, વૈદ્ય કે ગણિતનો જાણકાર જોઈશે એમાં ના નહિ, દવા આપી શકે તેવું કોઈ જોઈશે તેમાં ના નહિ, પણ પૂર્વે થઈ ગયેલા નિષ્ણાત પુરુષો વર્તમાનમાં કામ નહિ લાગે. આ ગાથાને સમજવા પૂરી કોશિશ કરીએ અને એ જો સમજાઈ જાય તો પૂરેપૂરી આંટી દૂર થઈ જાય. અને આંટી દૂર કરવા માટે ટીકામાં એમ કહ્યું છે કે ‘‘જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જિનની વાત પર જ લક્ષ રહ્યા કરે, એ ખોટું નથી. આ વીતરાગે કહ્યું છે, જિનેશ્વર પરમાત્માએ કહ્યું છે, તીર્થંકર દેવ અને જ્ઞાની પુરુષોએ કહ્યું છે, ચૌદ પૂર્વધારીએ કહ્યું છે. એ વાત પર લક્ષ ન જાય તેવું ન બને, પણ એ વાત પર લક્ષ રહ્યા કરે એમ કહ્યું, પણ તેમનું મહત્ત્વ નથી એમ નથી કહ્યું, એ ઘટના ઘટી નથી એમ નથી કહ્યું, એ શ્રેષ્ઠ નથી તેમ નથી કહ્યું, પણ તેમના ઉપર જ લક્ષ રહ્યા કરે અને તેમનો ઉપકાર કહ્યા કરે’’, એમ કહ્યું છે. તીર્થંકર દેવોનો, જિનેશ્વર દેવોનો, શાસ્ત્રોનો, સિદ્ધાંતોનો, પૂર્વે થઈ ગયેલા મહાપુરુષોનો, કુંદકુંદાચાર્યજીનો, હરિભદ્રસૂરિ આદિ આચાર્યોનો, યશોવિજયજી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy