SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા એટલા માટે એક ઉકેલ આપી દીધો કે, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. (૮) ટીકાઃ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તે તે સમજે, અને ત્યાં ત્યાં તે તે આચરે એ આત્માર્થી પુરુષનાં લક્ષણો છે. (૮) સાધક માટે પોતાની જાતનો વિચાર કરવાની રીત આ છે. પોતાની કઈ ભૂમિકા છે? ત્યાં શું યોગ્ય છે? ત્યાં શું સાધન છે? ત્યાં શું કરવા જેવું છે? ત્યાં શું હેય-ત્યાગ કરવા લાયક છે? ત્યાં શું આદરવા લાયક છે? ત્યાં શું જાણવા લાયક છે? સાધુઓને એમ કહ્યું કે મુનિઓ! અસંગ અવસ્થામાં રહો, એ એક અવસ્થા છે, કારણ તેઓને પોતાની ચિત્તવૃત્તિને પોતાના આત્મસ્વરૂપમાં ઠેરવવાની છે. સ્વરૂપમાં સ્થિર થવા માટે પોતાની વૃત્તિ ડોલાયમાન થાય એવા તમામ પ્રસંગોથી મુનિએ દૂર રહેવું ઘટે, માટે એમના માટે સર્વસંગ પરિત્યાગની વાત કરી. ‘વૃત્તિ વહી નિજ ભાવમાં, પરમાર્થે સમક્તિ.” જે વૃત્તિ બહાર જાય છે, એ વૃત્તિને પાછી વાળવી. આનંદધનજીએ એમની અલંકારિક ભાષામાં કહ્યું : વારો રે કોઈ, પરઘર રમવાનો ઢાળ. ઢાળ આવે ત્યારે સાયકલને પેડલ મારવું ન પડે, એની મેળે ચાલી જાય, ઢાળ છે પણ તેમાં જોખમ પણ છે. બ્રેક મારતા ન આવડે, સાયકલ ચલાવતાં ન આવડે અને બ્રેક જો નિરર્થક થાય તો સાયકલ પણ જાય અને પોતે પણ જાય. વૃત્તિને પરમાં જવું સહેલું છે, વિભાવમાં જવું સહેલું છે. ધ્યાન કરતા હોઈએ અને ધ્યાન કરતાં કરતાં જો વૃત્તિને બહાર જવું હોય તો છાનીમાની વૃત્તિ બહાર જઈ શકે છે, તેને પાછી વાળવી છે અને પોતાના સ્વરૂપમાં ઠેરવવી છે. માત્મસંસ્થ મનઃ કૃત્વાન શિષ્યવપિ વિચિન્તા (ભગવદ્ગીતા) મનને આત્મામાં સ્થિર કરીને પોતાને એ અવસ્થા પ્રાપ્ત કરવી છે. શાસ્ત્રોમાં તો એમ કહ્યું છે કે તમારે શ્વાસોચ્છવાસ લેવો તે પણ ગુરુ આજ્ઞાથી લેવો. એ કેવી રીતે બને ? પરાકાષ્ટાની આ વાત છે પણ એમ કહેવું છે કે સાધક પોતે મટી જાય, તેનો અહંકાર ઓગળી જાય, તેનો મત મટી જાય, સાધનો કરવાનો કદાગ્રહ મટી જાય અને સંપૂર્ણપણે ગુરુને સમર્પિત થઈને રહે. સંતોએ ગાયું, ઐસી આધીનતા કબ હોવે, આધીન થયા હોય તેને મોટા ભૂપતિ શીશ નમાવે. સદ્ગુરુ પ્રત્યે એવી આધીનતા કે પોતાનો કોઈ વિકલ્પ નહિ, મત નહિ માન્યતા નહિ. ગુરુદેવે આજ્ઞા કરી એનો સંપૂર્ણ સ્વીકાર. એમ કહ્યું કે ગુરુ આજ્ઞા વગર શ્વાસ પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy