SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ બનારસ હિંદુ યુનિવર્સિટીના જૈન ચેરના અધ્યક્ષ તથા શાજાપુર (મ.પ્ર.)ની જૈન વિદ્યાના મૂળ ગ્રંથોના અધ્યયન, સંશોધન અને પી.એચ.ડી. માટે પ્રશિક્ષિત કરતી નામાંકિત પ્રાચ્ય વિદ્યાપીઠના સંસ્થાપક, નિર્દેશક આદરણીય ડૉ. સાગરમલજી જૈન સાહેબ દ્વારા પ્રાપ્ત પ્રસ્તાવના આ ગ્રંથનું ગૌરવ વધારે છે. અનેકાંતવાદથી સમન્વયાત્મક અધ્યયન, ધ્યાન અને સાધના દ્વારા સત્યના સાક્ષાત્કાર માટે દીવાદાંડી સમાન જ્ઞાની પુરુષ અને પૂ. ગુરુજીના પરમપ્રેમી ડૉ. સાગરમલજી જૈન સાહેબનો અમે હૃદયપૂર્વક સહર્ષ સાદર આભાર માનીએ છીએ. અનેક રીતે આ ગ્રંથના પ્રકાશનમાં અલગ અલગ રીતે સહકાર આપવા માટે અમો શ્રી રાઈબેન પટેલ, શ્રી જગદીશભાઈ વોરા, ડૉ. મહેન્દ્રભાઈ શાહ, શ્રી અનિલભાઈ દોશી, શ્રી કૌશિકભાઈ દવે, નટુભાઈ પ્રજાપતિ, વિનોદભાઈ પરડવા, અશોકભાઈ, હંસાબેન, કાન્તિભાઈ, કલ્પનાબેન અને સુંદર છાપકામ માટે મુદ્રક શ્રી ધર્મેશભાઈ અને શ્રી અમરભાઈ (શાર્પ ઓફસેટ) – રાજકોટ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. આ પરાવાણી – સરવાણીના ઉદ્ગાતા પ.પૂ. ગુરુજીના ચરણકમલમાં દાસાનુદાસ ભાવે કોટિ કોટિ વંદન કરીએ છીએ. આ પરમહિતકારી ગ્રંથનું અધ્યયન, પરિશીલન અને મનન અનેક આરાધક મુમુક્ષુઓને બોધપ્રદ બને અને આરાધનામાં પથદર્શક થાય, મુમુક્ષુ આત્મા અંતરના અતલ ઊંડાણમાં ખેડાણ કરી જીવનમાં સમતા પ્રાપ્ત કરી, આત્મશ્રેય કરે એ જ મંગલ કામનાઓ સહ, વીર સંવત - ૨૫૩૭ સતુશ્રુત અભ્યાસ વર્તુળ, વિક્રમ સંવત - ૨૦૬૭ સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા, પાટણ. અષાડ સુદ-૬, બુધવાર તા. ૬-૭-૨૦૧૧ પ.પૂ. ગુરુજીનો ૮૧મો શુભ જન્મદિન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy