SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ પ્રવચન ક્રમાંક - ૭, ગાથા ક્રમાંક - ૬ પાણી ખારું છે. ત્યાં તો એક લોટા જેટલું માટીના મટકામાં જે મીઠું પાણી ભરેલ હશે તે જ પાણી પીવાના કામમાં લાગશે. ઢગલાબંધ શાસ્ત્રો વાંચ્યા હશે એ તમને નહિ બચાવે પણ પરિણમેલું જ્ઞાન તમને બચાવશે. શ્રીપાળ મહારાજા પરદેશમાં જાય છે ત્યારે મયણાસુંદરી એમ કહે છે કે, “સ્વામીનાથ! આપ પરદેશ જાઓ છો. વિદેશની યાત્રાએ જાઓ છો, તમારી યાત્રા સફળ થાય, શુભ મવતુ, વન્યા ભવતુ પણ મારી વિનંતિ છે કે તમારામાં તાકાત અને બળ છે, સામર્થ્ય છે, સત્તા મેળવશો, સંપત્તિ મેળવશો, વૈભવ મેળવશો, દુનિયાભરનું ધન તમે પ્રાપ્ત કરી શકશો, પણ એક વાત યાદ રાખજો કે, એ બધું ક્ષણભંગુર છે.” કઈ પત્ની પોતાના પતિને આવું કહેશે? તે તો કહેશે કે ““શું બેઠા છો? જુઓ, સામે આખો બંગલો થઈ ગયો અને તમારે આવું ને આવું રહ્યું.” આવું અનેક પ્રકારનું માનસિક દબાણ કર્યા જ કરે છે. મયણાસુંદરી બીજી મહત્ત્વની વાત કરે છે કે, “મને ભૂલજો, પણ સ્વામીનાથ ! વીતરાગ પરમાત્માના માર્ગને કદી ભૂલશો નહિ. તમારું કલ્યાણ અને ઉન્નતિ એ માર્ગથી છે.' આ મયણાસુંદરીનું જ્ઞાન પરિણમેલું છે. ઘણાં લોકો કહેતાં હોય છે કે, મારે “આત્મસિદ્ધિ મોઢે, “હે પ્રભુ! હે પ્રભુ' મોઢે. “ઇચ્છે છે જે જોગીજન”, મોઢે. આ પત્રો બધા મોઢે. બાપુ ! ધન્યવાદ. પણ પરિણમેલું કેટલું? કામ કેટલું આવે છે? ક્રોધનો પ્રસંગ હોય તો ક્રોધ કરતાં રોકે? અહંકારનો પ્રસંગ હોય તો અહંકાર કરતાં રોકે? અને દુનિયાનું પ્રલોભન થતું હોય તો તે તરફ ઢળતા રોકે? સુંદર પુરુષ અને સ્ત્રીને જોતાં કામની વૃત્તિથી રોકે? અને કોઈ નિંદા કરે તો અંદરથી ધૃણા કરતાં રોકે અને કોઈ પ્રશંસા કરતાં હોય તો ફુલાઈને ફાળકો થતાં રોકે? જો એ રોકાતું હોય તો એ જ્ઞાન અંદર પરિણમ્યું કહેવાય. જો સજાવેલી તલવાર દુશ્મનો આવે ત્યારે કામમાં ન આવે, એ તલવારને પૂજીને કરવાનું શું? તેમ જે જ્ઞાન રોજની જિંદગીમાં કામમાં ન આવે તો કામનું શું? જ્ઞાન કોઈ ચર્ચાનો વિષય નથી. લોકો તો માને છે કે બે કલાક સ્વાધ્યાય થયો એટલે બહુ મોટું કામ થઈ ગયું. સ્વાધ્યાય કરીને ઊભો થાય અને થોડું પાણી ઠંડુ ન હોય તો પિત્તો જાય. અરે ભલા માણસ! તે સ્વાધ્યાય કર્યો અને ઠંડા પાણી માટે પિત્તો ગયો, એ કેમ ચાલે? ત્યાગથી, વૈરાગ્યથી, કરુણાથી અંદર એક મહત્ત્વની ઘટના ઘટે છે. અંતઃકરણ ઉજ્જવળ થાય છે. અંતઃકરણ સાંખ્ય દર્શનનો અને વેદાંતનો શબ્દ છે. જૈન પરંપરામાં તો મન અથવા ચિત્ત એ શબ્દ છે. સાધનામાં મન ઉજ્જવળ હોય, ચિત્ત શુદ્ધ હોય એ અનિવાર્ય છે, કારણ કે શુદ્ધ મન વિના સદ્દગુરુનો ઉપદેશ પરિણામ પામતો નથી. આટઆટલા વર્ષો સતત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy