SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ક્રમાંક - ૭, ગાથા ક્રમાંક - ૬ આત્માને અનુભવવો છે, એના ઉપર કરુણા કરી, પરમકૃપાળુ દેવે ગુરુ શિષ્યના સંવાદથી ષપદની રચના કરી છે ‘‘ભાનું ષટ્કદ આંહી’’ આ છ પદની વાતનો હવે આરંભ કરીશું, હવે આજની ગાથા... ૬ વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન, તેમજ આતમજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. ૬ ટીકાઃ વૈરાગ્યત્યાગાદિ, જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિના હેતુ છે, અને જ્યાં આત્મજ્ઞાન ન હોય તો ત્યાં પણ જો તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય, તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. વૈરાગ્ય ત્યાગ આદિ સાથે જો આત્મજ્ઞાન હોય તો સફળ છે. બે શબ્દો આવ્યા. જો અને તો, જો શબ્દની રચના સાથે તો શબ્દ આવે જ. જો આત્મજ્ઞાન હોય તો વૈરાગ્ય વિ. સફળ અથવા જો આત્મજ્ઞાન ન હોય તો આત્મજ્ઞાનના અર્થે કરવામાં આવતા હોય તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ બની શકે છે. દુનિયાભરના ધર્મો મોટાભાગે સદ્ધર્મની અને સદ્ગુરુની વાત કરે છે. સક્રિયાની વાત કરે છે. અને મોટાભાગના ધર્મો સદ્ગુણની વૃદ્ધિ એ જ ધર્મ છે ને એવા ધર્મની ભલામણ કરે છે. માનવીય સદ્ગુણો તે ‘‘સદ્ગુરુનો સત્કાર, માતાપિતાની સેવા, ન્યાય સંપન્ન વૈભવ’’; ‘‘અહિંસા, સત્ય, સદાચાર’’ આ ધાર્મિક સદ્ગુણો અને ‘‘વૈરાગ્ય, ત્યાગ, પ્રેમ, સદ્ભાવના, તિતિક્ષા, તત્ત્વનો સદ્વિચાર’’ -આ આધ્યાત્મિક સદ્ગુણો. આવા માનવીય સદ્ગુણો, ધાર્મિક સદ્ગુણો સુધી મોટાભાગના ધર્મો પહોંચ્યા છે. અહીં એમ કહે છે કે તમે સદ્ગુણોની વૃદ્ધિ કરી તે સારી વાત, ધાર્મિક પ્રવૃત્તિ કરો તે સારી વાત, આધ્યાત્મિક ગુણો કેળવ્યા તે સારી વાત, પણ એ વાત સમજી લેજો કે આ તમારા સદ્ગુણો, તમારી ધાર્મિક સાધના, આ તમારા વ્રતો અને અનુષ્ઠાનો સફળ ક્યારે થશે ? વૈરાગ્ય, ત્યાગ, કરુણા, દયા, અંતરંગ વૃત્તિવાળી ક્રિયા તો જ સફળ થાય કે જો સાથે આત્મજ્ઞાન હોય તો. બીજી વાત અહિંસા આદિ ગુણો હોય, નીતિમત્તાદિ ગુણો હોય, વૈરાગ્ય આદિ ગુણો હોય પણ આત્મજ્ઞાન ન હોય તો વૈરાગ્ય ત્યાગ આદિ ગુણો સફળ થાય નહિ કારણ કે વૈરાગ્ય ત્યાગ એ અંતિમ પ્રાપ્તવ્ય નથી. એ હેતુ છે, માર્ગ છે. એ સીધો હેતુ નથી પણ પ્રાપ્તિ માટેનો ઉપાય છે. શું મેળવવું છે ? શું પ્રાપ્ત કરવું છે ? માત્ર અનુભવ કરવો છે, આત્મજ્ઞાન થાય અને અનુભવ થાય એના માટે આ સમગ્ર જીવનની પ્રક્રિયા છે. તો વૈરાગ્ય હોય, ત્યાગ હોય, કરુણા હોય, અંતરંગ ક્રિયા હોય, વૃત્તિઓનો નિરોધ કરવા માટેના વ્રતો હોય પણ યાદ રાખજો કે સાથે આત્મજ્ઞાન હોય તો એ સફળ, પણ ધારો કે આત્મજ્ઞાન નથી, એવી અવસ્થા પ્રાપ્ત થઈ નથી તો બીજો વિકલ્પ, બીજું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy