SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા છે. શિષ્ય આગળ જઈ શકે, તેને આગળ જવાનો પ્રતિબંધ નથી. જૈનદર્શનમાં તો જે પુરુષાર્થ કરશે તે આગળ ને આગળ જશે. ગુરુછધસ્થ રહ્યા છે. એક વાત જ્યાં સુધી તેમને ખબર ન પડે ત્યાં સુધી ભગવાન (શિષ્ય) વિનય કરે. તેમને હવે વિનય કરવાની કોઈ જરૂર નથી. તેઓ કૃતકૃત્ય થયા છે. તેઓ તમામ વ્યવસ્થા-આચારસંહિતા અને કર્મકાંડની બહાર છે. તમામ સીમાઓ અને મર્યાદાની બહાર છે. તેમણે કશું જ કરવાનું નથી, છતાં કહેતા નથી કે મહારાજ ! મને કેવળજ્ઞાન થયું છે. આપણને થોડી મુમુક્ષતા આવી ગઈ હોય તો જાહેર કરીએ છીએ કે અમે મુમુક્ષુ છીએ. આ વિનયનો માર્ગ જુઓ! ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન.” આમાં કોઈ કૃત્રિમતા નથી. તમામ પ્રકારની આચારસંહિતા ને નિયમોની બહાર હોવા છતાં, એક પ્રકારની અવસ્થા એવી આવે છે કે જ્યાં કોઈ નિયમ લાગુ પડતો નથી એવી અવસ્થા હોવા છતાં પોતાના મુખેથી અમે કેવળજ્ઞાની છીએ તેમ શિષ્ય જાહેર કરતાં નથી. પરમકૃપાળુ દેવને એમ કહેવું છે કે અમે આવી ઊંચી વાત કરીએ છીએ તે મુમુક્ષુ જીવ સમજી શકશે, બીજા સમજી નહિ શકે. તમને હજારો વિકલ્પો આવતા હશે કે કેમ સર્વજ્ઞ પરમાત્મા કહે નહિ કે અમને જ્ઞાન થયું છે. સર્વજ્ઞ થાય છતાં વિનય કરવો એમ લખી આપ્યું છે? શાસ્ત્રની આજ્ઞા છે ?' આવા કોઈ વિકલ્પો જ્ઞાની પુરુષ કરતાં નથી. હોય મુમુક્ષુ જીવ તે સમજે એહ વિચાર.” અને જો મતાર્થી હોય તો એવળો નિર્ધાર લે. અસદ્ગુરુ એ વિનયનો લાભ લહે જો કાંઈ. શાસ્ત્રોમાં ગુરુભક્તિની વાત કરી છે, વિનયની વાત કરી છે, આજ્ઞાપાલનની વાત કરી છે, આજ્ઞાંકિતતાની વાત કરી છે, શરણાગતિની વાત કરી છે પણ આ કહેનાર કોણ છે? અંદર કંઈ આકાંક્ષા છે? અંદર કોઈ ઇચ્છા છે? અંદર કોઈ વૃત્તિ કે મોહ છે? મમત્વ છે? કંઈ એને મેળવવું છે? પ્રાપ્ત કરવું છે? આવું જો કંઈ હોય તો આ કહેલા સત્યનો અને શાસ્ત્રમાં કહેલાં સિદ્ધાંતનો જો કોઈ વ્યક્તિગત લાભ લે તો એ મોહનીય કર્મનહિ પણ મહામોહનીય કર્મ બાંધે છે. “લાભ લહે એટલે કે પોતે વિનય શિષ્યાદિ પાસે કરાવે છે અથવા અસદ્ગુરુઓ પોતે સદ્ગુની બ્રાંતિ રાખીને વિનયમાર્ગનો ઉપયોગ કરે છે. આ ગાથાની વિશેષ ચર્ચા ૨૨મી ગાથા આવશે ત્યારે કરીશું. પણ આ ગાથામાં માસ્ટર કી છે. શાસ્ત્રોને જાણવાની, શાસ્ત્રોને ઓળખવાની અને સદ્દગુરુને ઓળખવાની આ માસ્ટર કી છે. મતાર્થી મુમુક્ષુ અને આત્માર્થી, ત્રણેને ઓળખવા પડશે. તેના લક્ષણો દ્વારા તેઓને ઓળખી શકાય. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે, એ વાત આત્માર્થી માટે છે. જેને આત્માને જાણવો છે, જેને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy