SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ VII પ્રકાશકીય પરમસત્તાની અનુકંપાથી અધ્યાત્મ યુગપુરુષ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રની સહજ આત્માનુભૂતિની દશામાં અવતરેલ, અનુપમ આધ્યાત્મિક ગ્રંથરત્ન આત્મસિદ્ધિશાસ્ત્ર” ઉપર શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળ, સાંતાક્રુઝ - પાર્લા, મુંબઈના ઉપક્રમે પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજે તા. ૧૮-૧૦-૨૦૦૫ થી તા. ૧૮-૧-૨૦૦૯ દરમ્યાન આપેલ પ્રવચનો ઉપરથી આ મૂલ્યવાન ગ્રંથ “આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ભાગ-૧' પ્રકાશિત કરતાં સતશ્રુત અભ્યાસ વર્તુળ, સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા – પાટણ અત્યંત હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે. નિગ્રંથપણા તરફની ધર્મચિસભર વ્યવહાર ધરાવનાર આદર્શ ત્યાગી, વૈરાગી, તપસ્વી વિરલ સપુરુષ શ્રીમદ્ રાજચંદ્રના શુદ્ધતમ ચૈતન્યના અતલ ઊંડાણમાંથી અવતરેલ આત્મતત્ત્વમય વીણાના સૂરોને કરુણા-પ્રેમ-સંયમની વાત્સલ્યમૂર્તિ અધ્યાત્મયોગી પ.પૂ. ગુરુજી શ્રી ભાનવિજયજી મહારાજે પુનઃ ઝંકૃત કર્યા છે. આત્મસિદ્ધિશાસ્ત્ર એ શ્રીમન્ની આત્માનુભૂતિમાંથી છૂરેલી, સૂત્રાત્મક છતાં સરળ અને સુબોધ શૈલીએ લખાયેલી, કંઠસ્થ કરવામાં સહેલી, આત્મોપનિષદના પ્રકારની અનેક જીવોને પ્રેરણા આપી સન્માર્ગે વાળનારી સર્વોત્તમ કૃતિ છે. શ્રીમન્ના આધ્યાત્મિક શાસ્ત્રજ્ઞાન, અવધાન શક્તિ, નીતિમત્તા અને સંસ્કારિતાથી પ્રભાવિત યુગપુરુષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાની આધ્યાત્મિક ભીડમાં માર્ગદર્શન માટે આત્મા, કર્મ, મોક્ષ, ઈશ્વર, પુનર્જન્મ, ભક્તિ, વિશ્વપ્રલય, વેદ, ગીતા, પશુયજ્ઞ, સર્પ કરડવા આવે ત્યારે શું કરવું? -વગેરે સત્તાવીશ પ્રશ્નો શ્રીમને પૂછાવ્યાં હતાં. વિશદ, તર્કયુક્ત અને ધર્મનિષ્ઠ જવાબોથી સંતુષ્ટ થયેલ ગાંધીજીની મૂંઝવણ મટતાં સમયસરના માર્ગદર્શનથી ધર્માન્તરની મનોદશામાંથી મુક્ત બનેલ ગાંધીજીએ શ્રીમહ્માંથી અખૂટ પ્રેરણા લઈને અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ પ્રમાણ, તપશ્ચર્યા, સર્વધર્મ સમભાવ, અનેકાન્તવાદ વગેરે અપનાવ્યાં. “સત્યના પ્રયોગો'માં ગાંધીજીએ શ્રીમદ્ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy