________________
56
પદ્ઘવિજયજી કૃત
વિહરમાન પ્રભુ રાજતા, વંદુ જીનવર વાસ; પદકજ પ્રણમું પાસના, જેહની ચઢતી જગીસ. ગુણદાયક ગુણમ્યું ભર્યા, પ્રણમું ગુરુના પાય; ભમતાં જે ભવસાયરે, પ્રવહણ સમ પરખાય. જગમાં બંધન દો કહ્યા, રાગ તથા વલી દ્વેષ; તેહમાં પણિ રાગ જ વડું, જેહથી દુઃખ અશેષ. સુખ ઈચ્છક સહુ જીવ છે, સુખ નવિ ઓલખે કોય; જિહા આત્મિક સુખ નીપજે, તે શીવમંદીર હોય. દુર્બુદ્ધિ સુખ ભ્રાંતિથી, રમેં વિષયમાં લીન; ન ગમે સજ્જન પુરુષને, જાસ સુકૃતમતિ પીન. તેહ વિષય સાધન અછે, મુખ્ય થકી વર નારિ; તે તો ક્રૂર કુટીલ કહી, સાપિણી પરે નીરધાર. જૂઠી ક્રોધમુખી ઘણુ, નીરદયી સાહસવંત; કલાહકારી કપટી વલી, પાર લહેં નહી સંત. કટુક વિપાક પરીણામથી, સૂણજ્યો ઈંડાં દૃષ્ટાંત; મદન તથા ધનદેવનો, વિવરી કહુ વૃત્તાંત. ચરીત્ર દેખી નારીતણું, વિરમ્યા જેહ મહંત; તે સુખીયા સંસારમાં, તે થાઈ ગુણવંત. તે પિણ એ દૃષ્ટાંતથી, જાણો સૂગૂણ નિધાન; કીમ આદરી છાંડી વલી, જાણી દૂખ નીદાન. કૌતુક ને વૈરાગ્યની, વાત ઘણી સૂવિનોદ; સાંભળતા સુખ ઉપજે, પૂરણ લહે પ્રમોદ.
૧. પુષ્ટ ૨. કારણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org