________________
26
‘હું શું કરું?...’
‘ક્યાં જાઉં?...’
‘કોને કહું?...’
‘આ તે કાંઈ સ્ત્રીઓ છે કે ડાકણ?... લડવા-ઝઘડવા સિવાય આખો દિવસ બીજો કોઈ ધંધો જ નથી.’
‘હે ભગવાન! હવે તો મને તારી પાસે જ બોલાવી લે!... મેં આજ સુધી તારી ભક્તિ કરવામાં શું બાકી રાખ્યું છે? તારો સેવક બનીને રહ્યો છું પ્રભુ!, તારો દાસ બનીને રહ્યો છું, તારા ભક્તની આ હાલત? તું ય જોયા કરે છે? ખરેખર તો સંસારમાં સૌથી વધુ દુઃખી, સૌથી વધુ પાપી જ હોવો જોઈએ. પણ... પણ આ શું? આટ-આટલી ધર્મક્રિયાઓ કરવા છતાં ય મને આટલા દુઃખો? મને નથી લાગતું કે મારાથી વધુ દુઃખિયારો કોઈ આ સંસારમાં હશે?’..
‘હવે તો ભગવાન! મોત આપી દે તો સારું, ત્રાસી ગયો છું આ સંસારથી રત્નોના ઢગલા ય કાંકરાની જેમ વાગે છે. દુનિયા માને છે. ‘ધનાઢય શેઠનો દિકરો, કેવો સુખી?’” એ તો મારું મન જ જાણે છે. ‘‘હું કેવો સુખી?’’...
Jain Education International
મદન-ધનદેવ થા
‘છતાંય ભગવાન! તારી એટલી તો કૃપા છે જ કે હું જીવતો છું’.
કુશસ્થલ નામનું નગર, સુખ, સમૃદ્ધિ અને સૌન્દર્ય ત્રણેનો અહીં વસવાટ હતો.
નગરના અગ્રગણ્ય ધનાઢ્ય શેઠનો એકનો એક દિકરો મદન, સંપત્તિની રેલમછેલમાં ઉછર્યો હતો. જન્મથી માંડીને ક્યારેય એને ‘ક્લેશ-કલહ કેવા હોય?’ એ જાણવા ન્હોતુ મળ્યું. ફૂડ-કપટથી એ અજાણ્યો હતો. વારસામાં મળેલી પિતાની અમાપ સમૃદ્ધિમાં એનું અઢળક સુખ સમાયેલું હતું. જે લગ્ન થયા પછી પત્નીઓના દિવસો-દિવસ વધતા જતા ક્લેશ અગ્નિમાં હોમાતું ગયું. લગ્ન પહેલા, લગ્ન પછીના આનંદમય જીવનની કરી લીધેલી કલ્પનાઓ ભાંગીને ભુક્કો થઈ ચૂકી હતી. પોતાની બે પત્નીઓના રોજ-રોજના કલહથી એ ત્રાસી ચૂક્યો હતો, રોજ-રોજની ઘરમાં થતી રામાયણે મદનને તંગ કરી નાખ્યો હતો.
એ ક્યારેક એકાંતમાં બેસીને પોતાના નસીબ પર રડી લેતો, તો ક્યારેક ઊંડી વિચારધારામાં ખોવાઈ જતો. ક્યારેક તો સાવ દિગ્મૂઢ બની જતો. નામ પ્રમાણે જ ગુણો ધરાવતી ચંડા અને પ્રચંડા નામની
For Personal & Private Use Only
www.jainelibrary.org