SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ * આશીર્વચનમ્ કર્મસાહિત્યના વિષયની ‘ઉદયસ્વામિત્વ’ નામની એક સુંદર કૃતિનું નિર્માણ થયું છે, જેમાં ૬૨ માર્ગણામાં કયા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય હોય, તેનું નિરૂપણ છે... આ ગ્રંથના પદાર્થો, સંક્ષેપમાં સરળતાથી મળી શકે અને પદાર્થોપસ્થિતિ માટે સુગમતા રહે, એ ઉદ્દેશથી મુનિરાજશ્રી યશ૨ત્નવિજયજીને સંક્ષિપ્તપદાર્થસંગ્રહ માટે પ્રેરણા કરી... તેઓશ્રીએ ખૂબ જ સુંદરતાથી કાર્ય પૂર્ણ કર્યું. આ ગ્રંથની ગાથા પર જ સંસ્કૃતવૃત્તિ અને તેના પર સંસ્કૃત વિવરણ સાથે સુંદર પ્રકાશન પણ તૈયાર કર્યું છે... તેમની ગુરુભક્તિ-શ્રુતભક્તિ બદલ ધન્યવાદ આપું છું અને આ રીતે અનેક કૃતિઓના સર્જન-સંપાદનાદિ દ્વારા જિનશાસનના સેવક બને, શ્રુતના ઉપાસક બને, આત્માના સાધક બને એવા અંતરના આશીર્વાદ આપું છું... આ ગ્રંથના પરિશીલન દ્વા૨ા સહુ કોઈ આત્મકલ્યાણ સાધે એ જ મંગલકામના... ૬. આચાર્ય વિજય ગુણરત્નસૂરિ... આચાર્ય વિજય રશ્મિરત્નસૂરિ.. * ઉદયસ્વામિત્વ વિશે પ્રકાશિત સાહિત્ય (૧) ઉદયસ્વામિત્વ ગ્રંથ પરની સંસ્કૃતવૃત્તિ અને સુંદર સંસ્કૃત વિવરણ સાથે (૨) ઉદયસ્વામિત્વ-સવિવેચન (ગાથા, ગાથાર્થ અને સુવિસ્તૃત ભાવાનુવાદ zua...) (૩) પ્રસ્તુત પુસ્તિકા (ઉદયસ્વામિત્વ સંક્ષિપ્ત પદાર્થસંગ્રહ) Jain Education International For Personal Private Use Only www.jainelibrary.org
SR No.005518
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy