________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૧૪૧] ખસતા નથી. જે તેઓ પહેલામાંથી ખસી ચેથા સુધી આવે અને ત્યાં પુરુષાર્થ કરી સાતમું જે અપ્રમત્ત છે ત્યાં સુધી પહોંચે તે પણ એક મોટામાં મોટી વાત છે. સાતમા સુધી પહોંચ્યા વિના તે પછીની દશાની સુપ્રતીતિ થઈ શકવી મુશ્કેલ છે. ન પ્રાપ્ત થઈ શકે એવી ધીરજ, સંઘયણ, આયુષની પૂર્ણતા ઇત્યાદિના અભાવથી કદાચ સાતમા ગુણસ્થાનક ઉપરને વિચાર અનુભવમાં ન આવી શકે, પરંતુ સુપ્રતીત થઈ શકવા ગ્ય છે.”
(વ્યાખ્યાન સાર–૧)
આ કાળમાં શુક્લધ્યાનની મુખ્યતાનો અનુભવ ભારતમાં અસંભવિત છે. તે ધ્યાનની પક્ષ કથારૂપ અમૃતતાને રસ કેટલાક પુરૂષ પ્રાપ્ત કરી શકે છે; પણ મેક્ષના માર્ગની અનુકૂળતા ઘેરી વાટે પ્રથમ ધર્મધ્યાનથી છે.” (૬૨) આ ગૂઢ અર્થસૂચક વચને ખૂબ વિચારણીય છે. સાતમા અપ્રમત્ત સંયમ નામના ગુણસ્થાનકે આત્માનુભવ કરતી વેળાએ ધ્યાન કેવા પ્રકારનું હોય તે દર્શાવતાં આ વચને ન કહી શકાય?
આ ગુણસ્થાનકે નામ પ્રમાણે અર્થ છે; અંતરુસંયમમાં પ્રમત્તભાવ નથી, લેશ માત્ર પ્રમાદ નથી, રાગ કે દ્વેષને અંશ નથી. ઉપગમાં કોઈ વિકલ્પ નથી અને તે આત્મામાં સ્થિર છે. અહીં માત્ર શુદ્ધાત્માને અનુભવ છે, અમૃતરસનું, અપૂર્વ શાંતિનું અને અપૂર્વ સુખનું વેદન છે. ત્યાં વંધ-વંદક ભાવ નથી; જ્ઞાતા, જ્ઞાન અને સેયને ભેદ નથી, ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનું અંતર નથી. આત્મા એ જ પરમાત્મા છે. પરંતુ આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org