SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] નિર્વાણમાર્ગનું રહસ્ય છે કે વાંચનાર તેમાંથી ઘણું મેળવી શકે, સુવિચારવાની હોય તે અંતર્ગત ભાવ જાણું શકે, જે જાણીને તેને આત્મા સંતેષ પામે, પ્રસન્ન થાય, અહોભાવ સંપન્ન થાય અને તેના નિર્મળ શીતળ ઝરણથી ઠરી જાય. પિતાપિતાની દશાનુસાર તેને અર્થ સમજાય અને તે પ્રમાણમાં લાભનું કારણ થાય. આ શૈલીમાં જે પ્રકારે સંબોધન કરવામાં આવ્યું હોય, તે તેની આત્મસ્થિતિ બતાવનાર હોય છે. રાગ કે રાગની અતિરેતા ન હોવાને લીધે અને જ્ઞાનની નિર્મળતાને કારણે સંબોધનમાં જીવની જે ભૂમિકામાં સ્થિતિ હોય તે જ યથાર્થતાએ દર્શાવવામાં આવી હોય છે, તેનાથી અધિક કે ન્યૂન ભાવદર્શક વચને ક્યારે પણ ઉપયોગમાં લીધાં નથી, તે કૃપાળુ ભગવંતની જ્ઞાનપ્રકાશની ઉજ્વળતા અને નિર્મળતા, રાગદ્વેષ રહિતપણું, પ્રમાણિકતા અને સત્યતાને ઉઘાડી રીતે સ્પષ્ટ નિર્દેશ કરી જાય છે. આ ઉત્તમ ગુણોને અમારા તમારા પ્રેમવંદન હે! - અહીં મુનિશ્રીના સંબંધનમાં પ્રથમ શબ્દ છે, “સત્ જિજ્ઞાસુ.” જેના હૃદયમાં સત્ એટલે શુદ્ધાત્મા પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા, પ્રબળ ઈચ્છા થઈ છે તે સત્ જિજ્ઞાસુ જેના અંતરમાં સતની જેને પ્રાપ્તિ થઈ છે એવા જ્ઞાની પુરૂષ કે પુરૂષના એકાંત કલ્યાણકારી સમાગમ યેગની અભિલાષા તીવ્રપણે વતે છે, તે સત્ જિજ્ઞાસુ. તેથી મુનિશ્રીની અંતરંગ દશાસ્થિતિ આ પ્રમાણે છે. સંબોધનના બીજા શબ્દમાં “માર્ગાનુસારી મતિ” એમ કહ્યું. માર્ગને એટલે કયાણમાર્ગને, પરમાર્થમાર્ગને, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005517
Book TitleNirvan Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1983
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy