________________
[ ૧૨૬]
નિર્વાણમાર્ગનું રહસ્ય સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે, જેને પુનર્જન્માદિ ભાવ કર્યા છે, તે પદાર્થને કઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે.” (૨૪) - “સત્સંગનું અત્યંત મહામ્ય પૂર્વ ભવે વેદન કર્યું છે; તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે અને નિરંતર અભંગપણે તે ભાવના કુરિત રહ્યા કરે છે.” (૩૭૫)
“પૂર્વકાળમાં જે જે જ્ઞાની પુરૂષના પ્રસંગે વ્યતીત થયા છે, તે કાળ ધન્ય છે; તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે, તે શ્રવણને, શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા જીને ત્રિકાળ દંડવત્ છે. તે આત્મસ્વરુપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરૂષની વાણી અથવા જ્ઞાનીનાં શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાની પુરૂષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભક્તિ એ કરીએ છીએ. અખંડ આત્મધૂનના એક્તાર પ્રવાપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે, અને બીજી બાજુથી આવાં ક્ષેત્ર, આવા લોકપ્રવાહ, આવા ઉપાધિગ અને બીજા બીજા તેવા તેવા પ્રકાર જોઈ વિચાર મૂચ્છવત થાય છે. ઈશ્વરેચ્છા!” (૪૫)
“આત્માને વિષે સહજ મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જેવો બેધ તે અમને સહેજે સાંભરી આવે છે.” (૩૧૩)
અને એ જે શ્રી તીર્થંકરદેવને અંતર આશય તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તે તે અમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org