SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનની ભકિતનું સ્વરૂપ ૭૫ વિદ્યમાન સજીવનમૂર્તિ સત્પરૂષમાં પ્રેમ એટલે તેના દેહમાં, પિદુગલિક આકૃતિમાં પ્રેમ નહીં પરંતુ દેહથી ભિન્ન છતાં દેહસ્થિત, કેત્તર અિધર્ય, વૈભવ અને ગુણેથી સુશેભિત, જોતિ સ્વરૂપ, સ્વપર પ્રકાશક આત્મા પ્રત્યે, સના તન સત્ પ્રત્યે, સત્યસ્વરૂપ પ્રત્યે પ્રેમ અને આદર. આથી જડ અને ચેતન વચ્ચેની વહેંચણી, દેહ અને આત્મા વચ્ચેની સાચી અને યથાર્થ ખતવણું સત્પરૂષમાં પ્રેમ કરવાથી સહજ થાય છે અને તેને જ સાચું જ્ઞાન કહે છે. વળી સહુરૂષ ઉપદેશવચનથી તે જ વાત જણાવે છે ત્યારે તે સત્યજ્ઞાનની દૃઢતા થાય છે. આને વ્યવહારથી સમ્યકજ્ઞાન કહ્યું છે. પુરૂષનાં સ્વરૂપ અને વચનમાં વિશ્વાસ તે શ્રદ્ધા; આ “સાચા પુરૂષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેણ છે, જેમ તે કહે છે તેમ જ મેક્ષમાર્ગ છે...તેમ જ મોક્ષમાર્ગ હાય...” તેવી આત્મામાં પ્રતીતિ થતાં તેને વ્યવહાર સમ્યક દશન કહે છે. જ્યારે પ્રેમ અને શ્રદ્ધાની પવિત્ર જેડી બહારની બંધનકારક આસક્તિને ક્રમપૂર્વક તેડીને શુદ્ધતા પ્રત્યે જાય છે અથવા બીજા શબ્દોમાં જ્યારે પ્રેમ ઉજ્જવળ તથા નિર્મળ થતું જાય છે તથા શ્રદ્ધા તેની સાથે સાથે રહી, બળ આપી એકાગ્રપણે પ્રવર્તે છે, ત્યારે “પ્રેમસમાધિ આવે છે, “પ્રેમ સમાધિ એટલે ભગવાનરૂપ પુરૂષના અથવા બેધસ્વરૂપ શ્રીગુરૂના સતત સુખરૂપ સ્મરણથી ઉત્પન્ન થતી એકાગ્રતા અને ધ્યાનાવસ્થા પછી એકાગ્ર મરણરૂપ તે ધ્યાનાવસ્થા ટકી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005516
Book TitleBhakti Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy