SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ ભગવાનના પ્રેમીની વિચારધારા છે. આત્માને અશાંતિ ઉપજાવી અકળાવે છે, મુંઝવે છે, અને વીતરાગતા શાંત સ્વભાવ પ્રગટ કરી પરમ શાંતિને નિરંતર અનુભવ કરાવે છે. માટે એ વિભાવ પરિણામને ભાવસંયમ પ્રાપ્ત કરાવી શાંત કરે, શાંત કરે અને બરફની પાટ પાસે બેઠા હોઈએ અને શીતળતા અનુભવીએ એવી આત્માની સહજ સ્વાભાવિક શીતળતાને અનુભવ કરાવે, અનુભવ કરાવે, પરંતુ પ્રભુ! મેં આપનાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધા. નહીં, આપના ચીંધેલા માર્ગને ઓળખે નહીં અને હું બ્રાંતિથી અશાંતિને જ શાંતિ માની વત્ય કર્યો છું તે હવે આપની કૃપાથી સમજાય છે. હવે બરાબર સમજાય છે કે સંકલ્પ-વિકલ્પ એ જ આકુળતા વ્યાકુળતા છે અને આકુળતા એ જ અશાંતિ છે. હે પ્રભુ! આપે તે પરમ આશ્ચર્યકારક આત્મવીર્ય પ્રગટાવી, વિષમ ઉદય કાળ સામે પડી, કર્મોને બાળી પ્રજાળી, રાગદ્વેષની શૃંખલાને તેડી ફેડી, પરપરિણતિને ભરમ કરી આત્માની અપૂર્વ શાંતિ, અપૂર્વ શીતળતા પ્રગટ કરી છે. આપનું એ અદ્દભુત પરાક્રમ પરમ આશ્ચર્ય ઉપજાવે છે. હે ભગવાન! આપ પરમ ગંભીર છે, પરમ ઉદાર છે. હે પ્રભુ! આપ અનંત લક્ષિાના પત્તા છે, અનત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005516
Book TitleBhakti Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy