________________
ભકિતમાર્ગનું રહસ્ય દઢતા છે. તેથી “હું” અને “આપ” એ ભેદ મટતાં સુધી આ અને આગામી ભામાં હું આપને પામર સેવક રહું એવી અંતરની ઈચ્છા છે.
હે ભગવાન! આપ પરમ ઉપાસ્ય છે, હું રંક ઉપાસક છું.
હે પ્રભુ! સંસારના કલ્પિત સુખ અથે વા દુઃખનિવારણ અર્થે, માનાર્થે વા પૂજાથે એ આદિ બ્રાંતિગત ભાવથી કોઈ તે દેવ દેવીઓ આદિને ઉપાસ્ય ગણી ઉપાસના કરે છે અને તેથી મિથ્યાત્વને દઢ કરી દીર્ઘ સંસાર વધારે છે. દેવ દેવીઓ પણ પોતાના કર્મને આધીન હોઈ દુઃખને અનુભવ કર્યા કરે છે, તે અન્યનું દુઃખ કેમ ટાળી શકે? માટે હું મિથ્યાત્વને પિષણરૂપ માન્યતાને માન આપું નહીં, તેમને સ્વહિતાર્થે ઉપાસ્ય ગણું નહીં અને તેમ છતાં તેઓ પ્રત્યે મધ્યસ્થ રહું.
હે નાથ ! નિશ્ચય ધર્મ તે સકળ લેકમાં પરમ ઉપાસ્ય આપ એક જ છે, અન્ય કોઈ પણ નથી એવી પ્રતીતિ વતે છે, તેથી ભેદભાવ મટી અભિન્નભાવ પ્રકાશતાં સુધી ભાભવ હું આપ સર્વજ્ઞ અને સર્વ શક્તિમાન પ્રભુને રંક ઉપાસક રહું એ મારી આત્માભિલાષા છે.
હે ભગવાન ! આપ પરમ આરાધ્ય છો, હું નમ્ર આરાધક છું,
હે પ્રભુ! આ અશરણરૂપ અને અનિત્ય સંસારમાં કઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org