________________
ભક્તિમાર્ગનું રહસ્ય
આપના ઉત્તમોત્તમ સર્વોત્કૃષ્ટ ગુણેનું શ્રવણ કરી આ અપવિત્ર કર્ણને પવિત્ર કરૂં છું.
આપના અચિંત્ય, નિર્મળ ગુણેની અનુપમ સુવાસથી આ અપવિત્ર નાસિકાને પવિત્ર કરું છું..
આપના વચનાતીત સર્વોત્તમ ગુણનું સ્તવન કરી, પરમાર્થ રસને આસ્વાદ લઈ આ અપવિત્ર જીભને પવિત્ર કરૂં છું.
આપના વચન–અગોચર ગુણેની શીતળતાથી આ અપવિત્ર ત્વચાને પવિત્ર કરૂં છું.
તે સર્વ વડે અશાંત, મલિન અને સમયે સમયે પર ભાવમાં કુદકા મારતા અપવિત્ર મનને શાંત અને પવિત્ર કરૂં છું.
અને તેથી કરીને આ આખા અપવિત્ર અને દુધ મારતા ભયંકર અશુચિમય મલિન દેહને પવિત્ર કરૂં છું અને આપના અદ્ભુત ગુણનું સ્મરણ કરી, દેહાત્મભાવથી પર થવાને ઉદ્યમી થઈ મારા આત્માને ઉજમાળ કરૂં છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org