SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ભક્તિમાર્ગનું રહસ્ય સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ પુરૂષને જ અનુગ્રહ છે; કંઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ સાપુરૂષના ઉપદેશ વિના કોઈએ જાયું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે, તેથી જાણે તે ગ્રંથાદિથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સપુરૂષ જ છે માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું સંપુરૂષ જ કારણ છે; આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પિતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સરૂષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ. - “એક સમય પણ કેવળ અસંગપણથી રહેવું એ ત્રિલેકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે, તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવાં સપુરૂષનાં અંતઃકરણ, તે જોઈ, અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ. હે પરમાત્મા અમે તે એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવને મેક્ષ હોય. તેમ છતાં જેન ગ્રંથમાં કવચિત્ પ્રતિપાદન થયું છે તે પ્રમાણે આ કાળમાં મેલ ન હોય, તે આ ક્ષેત્રે એ પ્રતિપાદન તું રાખ અને અમને મેક્ષ આપવા કરતાં પુરૂષના જ ચરણનું ગાન કરીએ અને તેની સમીપ જ રહીએ એ વેગ આપ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005516
Book TitleBhakti Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy