SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ભક્તિમાર્ગનું રહસ્ય તારવણી કરવામાં શું થાય છે. તેના વિવેકી વિચારમાં આટલા કારણે દષ્ટિ ગોચર થાય છે, પ્રભુ ભક્તિ, શાસ્ત્ર શ્રવણ અને અધ્યયન, સદુવિચાર, સામાન્ય સત્સંગ, સદાચાર, સત્સમાગમ, પ્રત્યક્ષ વિદ્યમાન પુરૂષ કે જ્ઞાની ભગવંતની ભક્તિ એટલે તેમનામાં પ્રેમ-શ્રદ્ધા-અર્પણતાના ભાવ અને તેવા તથારૂપ પુરૂષ સાથે પોતાના પૂર્વના ઘણા ભને શુભ કણાનું. બંધને સંચય અને ઉદય; અને આ કારણેમાંના છેલ્લા બે ઝડપી ગતિએ વિકાસ સાધવા માટે અત્યંત ઉપકારી થાય છે, તે બે કારણેને સુગ થાય ત્યારે ભક્ત અલ્પ કાળે અને અલ્પ પ્રયાસે, દેહને તપાદિથી કઈ દીધા વિના કે માનસિક પરિષહ વેદ્યા વિના પરમાર્થમાર્ગના સ્વચ્છ, સુંદર અને ઘેરી રસ્તા પર વેગથી દેડી ઈષ્ટ સ્થાને આનંદ અને સંતે ષથી પહોંચી જાય છે. વચ્ચે દેખા દેતી કંટકરૂપ મુશ્કેલી શ્રી ગુરૂના માર્ગદર્શન અને અનુગ્રહથી દૂર થવામાં વિલંબ થતું નથી તેમ ખેદ અને નિરાશા પાસે આવી શક્તા નથી. આમ મોક્ષની સરળ વાટ હોવા છતાં તથારૂપ પુરૂષને વેગ પ્રાપ્ત થ દુર્લભ છે, અતિ દુર્લભ છે. આ વિચાર શ્રેણિના અંતમાં ભક્ત પિતાને તે સુયોગની પ્રાપ્તિ થઈ હોવાથી પરમ ભાગ્યવંત સમજે છે અને જરાપણ પ્રમાદન સેવવાને અને પુરૂષાર્થને વેગ વધારવાનો નિર્ધાર કરે છે. એક ક્ષણને પણ પ્રમાદ કરવાથી મળેલી અમૂલ્ય તક બેઈ બેસવાનો વખત આવે છે, તેવી સાચી સમજણ તેનામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005516
Book TitleBhakti Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy