SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૦૬ ભક્તિમાર્ગનું રહસ્ય રંગ મેહિની નથી, સત્ સત નિરુપમ, સર્વોત્તમ, શુકલ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન, સમ્યફ જોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપ દર્શિતાની બલિહારી છે! જ્યાં મતભેદ નથી, જયાં શંકા, કંખા, વિતિગિચ્છા, મૂઢ દષ્ટિ એમાંનું કાંઈ નથી, છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી.” શ્રીમદ્ રાજચંદ્ર (પત્ર (૧) આત્માની આત્મામાં સમ્યફપ્રતીતિ આવતાં પૂર્વના અને ઉત્તરના પરિણામમાં જે અગત્યના ફેરફાર થાય છે તે સમકિતી ભક્તને અનુભવમાં આવે છે. શમ, સંવેગ, નિર્વેદ, દયા, શાંતિ, ક્ષમા અને સમતા એ આદિ ગુણે વર્ધમાન થતા જાય છે. તેનું ફળ આ પ્રમાણે જોવા મળે છે – (૧) પ્રકૃણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા પિતાની શાંત અને સ્થિર સ્થિતિમાં રહી પરિણમે એવી વૃત્તિ રહે છે. (૨) આત્મવિકાસની સુરૂચિ વધે છે અને સમયાનુકુળ પ્રયત્ન થાય છે. (૩) સપુરૂષ અને તેના વચનેમાં અભિરૂચિ, પ્રેમ અને શ્રદ્ધા વિશેષ બળવાન થાય છે. (૪) વ્યાધિ ઉપાધિના માઠા પ્રસંગે આત્મવીર્ય સહજ પ્રગ ટતાં પૂર્વની અપેક્ષાએ વધુ શાંતિ વેદાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005516
Book TitleBhakti Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy