SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિમાર્ગનું રહસ્ય આ અવસ્થાની પ્રાર્થનાનું ફળ એ છે કે પ્રાર્થનાકારના આત્મામાં કંઈ વધુ જાગૃતિ આવે છે, અહંભાવ ઘટવા તરફ પ્રવર્તે છે, સ્થૂળ પાપોથી નિવર્તવાનું થાય છે, શુભ ભાવમાં રહેવા માટે વૃત્તિને ઝુકાવ તે તરફ હોય છે, ભૂલે થાય છે છતાં પાછા વળી શકવાની શક્તિ આવે છે અને ગુણે પ્રત્યે પ્રમાદભાવ વધે છે. ભગવાનના જે જે ગુણ સંગીત કરતાં આત્મા ઉલ્લસિત થઈ તે ભાવે પરિણમે છે ત્યારે તે ભાવ અંતરંગમાં અપ્રગટતાએ ખીલે છે. આવા દિવ્ય અલૌકિક ભાવને એકાદ અંકુર, અંશદષ્ટિ પણ અદ્દભુત ચમત્કારિક ફળને અર્પવા સમર્થ થાય છે. એ પણ અલૌકિક તત્વનું અલૌકિક આશ્ચર્ય છે. પ્રાર્થનાની ત્રીજી અવસ્થા આ અવસ્થામાં ભગવાનના પ્રેમી ભક્તમાં શ્રી પુરુષનાં વચનામૃતના વાંચન-અભ્યાસથી વિવેક ઊગે છે કે આ સંસાર અસાર અને અશરણરૂપ છે, દુઃખથી આત્ત અને ભયાકૂળ છે, દેહ નાશવંત છે અને ભેગ રેગ સમાન છે, માત્ર એક શુદ્ધ, ચૈતન્યસ્વરૂપ, અવિનાશી આત્મા જ સર્વોત્કૃષ્ટ પદાર્થ છે અને તેથી તે અચિંત્ય, અનુપમ, રવાપર પ્રકાશક, જ્ઞાનદર્શનમય તવ પ્રાપ્ત કરવા યોગ્ય ઉપાદેય અને આરાધવા ગ્ય છે. આ વિવેકપૂર્વકના વિચારથી તેનામાં ઉચિત વૈરાગ્ય અને ઉપશમ પ્રગટ થાય છે, અથવા કહે કે કલ્યાણમૂતિ પવિત્ર સમ્યક દર્શનની પ્રાપ્તિ અર્થેનાં લક્ષણે, શમ-સવેગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005516
Book TitleBhakti Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy