________________
૯૪
ભક્તિમાર્ગનું રહસ્ય હે ભગવન્! હું ભૂલ્ય, આથડ્યો, રઝ અને અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! તમારા કહેલા તત્વ વિના મારે મિક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા! હવે હું તમારૂં, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ, હું તે સર્વ પાપથી મુક્ત થઉં, એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપને હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂમ વિચારથી ઊંડો ઉતરૂં છું, તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારે મારા સ્વરૂપને પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદરવરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદશ અને શૈલેય પ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય; તમારા કહેલા રસ્તામાં અહેરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org