SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિનાં સાધને અને પ્રાર્થનાકમ પ્રભુ સમક્ષ મુખથી બેલીને કહી જવા અને તે માટે ક્ષમાપના માગી માફ કરવા વિનંતિ કરવી. આ બધું કંઈપણ ગોપવ્યા વિના નિષ્કપટપણે અંતરના વિશુદ્ધ ભાવથી અત્યંત પ્રમાણિકપણે કરવું. આ અભ્યાસ દરરોજ બે વખત નિર્ણિત કરેલા ચોક્કસ સમયે ઉ૯લસિત ભાવથી કરો. આ અભ્યાસથી કઈ એક વખત આત્મપ્રદેશને સ્પર્શીને સ્વદેષની આલેચનાને અત્યંત બળવાન, રૂંવાડાં ઊભા કરી દે એ નિર્મળ સત્ય પ્રાયશ્ચિતભાવ સ્વયં આવી જશે; અને એ છે પરમકૃપાળુ ભગવાનની અપ્રગટ કૃપા, કેમકે એ અનુભવના બળથી આત્મા કર્મોના ભારથી હળવો થાય છે, મહાબંધનથી છૂટે છે અને પાવનકારી કલ્યાણને ભેટવા માટે સુઅવસર પ્રાપ્ત થાય છે. - આ અવસ્થામાં સવદેશદર્શન કરવાથી અને તે પ્રભુ પાસે પ્રગટ કરવાથી તથા હૃદયપૂર્વક ક્ષમા યાચવાથી, તેના આત્માની મલિનતા દૂર થાય છે, અને તે હળવે, નમ્ર અને લઘુ બને છે. તેનામાં કેટલાક અંશે અનુકંપા અને સમતા પ્રગટી, આત્મજાગૃતિ આવે છે. ક્ષમાપના “હે ભગવાન! હું બહુ ભૂલી ગયે. મેં તમારાં અમૂલ્ય વચનેને લક્ષમાં લીધાં નહીં. મેં તમારા કહેલા અનુપમ તત્વને વિચાર કર્યો નહીં, તમારા પ્રણત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં, તમારા કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005516
Book TitleBhakti Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy