SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | વટવૃક્ષ' દ્વાર / ગાથા ૧૪૧૫-૧૪૧૬ ગાથાર્થ : અને પૂર્વે બતાવેલા પરિકર્મમાં નિર્માત એવા ત્રષિ ગાથા ૧૩૮૦માં કહેવાયેલા એવા પોતાના જેવા ગુણોવાળા જ અન્ય સાધુઓને ગચ્છ આદિ પદની સર્વથા અનુજ્ઞા આપીને પછી વિધિથી સમ્યગ્ર ઉપવૃંહણા કરીને ત્યારપછી અત્યંત સંવિગ્ન એવા કષિ બાલ-વૃદ્ધસહિત સંઘને યથોચિત જ ખમાવે છે, પૂર્વમાં વિરુદ્ધોને વિશેષથી ખમાવે છે. ટીકા : निर्मातश्च तत्र-परिकर्मण्यसौ गच्छादि सर्वथानुज्ञाप्य प्रागुक्तं पदं, पूर्वोदितानां सम्यग् इत्वरस्थापितानां पश्चादुपबृंह्य विधिना तेनैवेति गाथार्थः ॥१४१५॥ क्षामयति ततः सङ्घ सामान्येन सबालवृद्धं यथोचितमेव वक्ष्यमाणनीत्या अत्यन्तं संविग्नः सन्, पूर्वविरुद्धान् विशेषेण कांचनेति गाथार्थः ॥१४१६॥ ટીકાઈ: અને ત્યાં પરિકર્મમાં, નિર્માત એવા આ=ગાથા ૧૩૭રથી ૧૪૧૪માં બતાવ્યા એ પરિકર્મમાં સુઅભ્યસ્ત એવા અભ્યદ્યત વિહાર માટે તત્પર ઋષિ, પૂર્વોદિત એવા ઇત્ર સ્થાપિતોને=ગાથા ૧૩૮૦માં કહેવાયું તેમ પોતાના ગચ્છ-ઉપાધ્યાય આદિ પદ પર અલ્પ કાળ માટે સ્થપાયેલ પોતાના સમાન જ અન્ય સાધુઓને, પ્રાગુ ઉક્ત એવા ગચ્છાદિ પદનું=ગાથા ૧૩૮૦માં કહેવાયેલા ગચ્છ-ઉપાધ્યાયાદિ પદનું, સર્વથા અનુજ્ઞાપન કરીને, પાછળથી તે જ વિધિથી=ગાથા ૧૩૪૮થી ૧૩૫૯માં બતાવી તે જ વિધિથી, સમ્યગુ ઉપબૃહણ કરીને, ત્યારપછી સામાન્યથી બાળ-વૃદ્ધસહિત સંઘને-ચતુર્વિધ સંઘને, અત્યંત સંવિગ્ન છતા વફ્ટમાણ નીતિથી=આગળની ગાથામાં કહેવાશે એ મર્યાદાથી, યથોચિત જ ખમાવે છે, પૂર્વમાં વિરુદ્ધ એવા કેટલાકને પૂર્વમાં વિરોધી થયેલા એવા કેટલાક સાધુઓને, વિશેષથી ખમાવે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : અભ્યદ્યત વિહાર સ્વીકારવાની અભિલાષાવાળા ગણિ, ઉપાધ્યાયાદિ સાધુઓ પૂર્વમાં જે અભ્યદ્યત વિહારનાં દ્વારા બતાવ્યાં તે સર્વથી પરિકર્મિત થઈ જાય, ત્યારપછી ગાથા ૧૪૧૮માં બતાવાશે એ રીતે જિનકલ્પ સ્વીકારે છે. તેથી ચરમ દ્વારને કહેતાં પહેલાં તે જિનકલ્પ સ્વીકારવા તત્પર થયેલા ઋષિને કરવા યોગ્ય ઉચિત કૃત્યો બતાવતાં કહે છે – પૂર્વનાં દ્વારોમાં બતાવ્યું એ રીતે આત્માને સંપન્ન કરી ચૂક્યા હોય તેવા ગણિ, ઉપાધ્યાયાદિ ઋષિએ, પૂર્વે પોતાના જેવા ગુણોવાળા અન્ય જે સાધુઓને અલ્પ કાળ માટે પોતાના પદ પર સ્થાપીને, તેઓ તે તે પદને પોતાની જેમ સમ્યગું વહન કરી શકે તેવા છે કે નહીં? તેનો નિર્ણય કરવા માટે તુલના કરેલી, તે સાધુઓને હવે કાયમ માટે પોતાના પદની અનુજ્ઞા આપે છે; અને તે તે પદની અનુજ્ઞા આપવાની વિધિ પૂરી થયા પછી નવા ગણિ આદિ તે સાધુઓની અનુયોગ-ગણાનુજ્ઞાવસ્તુમાં બતાવી તે જ વિધિ પ્રમાણે ઉપબૃહણ કરે છે. તેથી તે ગુરુના વચનનું સ્મરણ કરીને તે નવા ગણિ આદિ સાધુઓ પણ પોતાના પદનું ભગવાનની આજ્ઞાનુસાર સમ્ય અનુપાલન કરે છે, તેમ જ ગચ્છના સાધુઓ પણ ગુરુના વચનથી પ્રેરાઈને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy