SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ગાથા ૧૪૧૨ ઉપધિ આદિમાં સુવિદ પરિવí=દ્વિવિધ પરિકમને ડું કરે છે, તાહે ત્યારપછી કલ્પને= જિનકલ્પને, પવિM સ્વીકારે છે. ગાથાર્થ : ગચ્છમાં રહેલા જિનકલ્પિકના પ્રતિરૂપી આહાર-ઉપાધિ આદિમાં બે પ્રકારના પરિકને કરે છે, ત્યારપછી જિનકલ્પને સ્વીકારે છે. ટીકા : __जिनकल्पिकप्रतिरूपी-तत्सदृशो गच्छ एव स्थितः सन् करोति द्विविधं परिकर्म बाह्यमान्तरं च आहारोपध्यादिषु विषयेषु, ततस्तत्कृत्वा प्रतिपद्यते कल्पमिति गाथार्थः ॥१४१२॥ ટીકાર્ય : જિનકલ્પિકના પ્રતિરૂપવાળા=તેની સદેશ=જિનકલ્પી સાધુ જેવા, ગચ્છમાં જ રહેલા છતા ઋષિ આહારઉપધિ આદિરૂપવિષયોમાં બાહ્ય અને આંતરરૂપ બે પ્રકારના પરિકર્મને કરે છે. ત્યારપછી તેને કરીને જિનકલ્પી સાધુ જેવા થઈને બે પ્રકારના પરિકર્મને કરીને, કલ્પને જિનકલ્પને, સ્વીકારે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જિનકલ્પ સ્વીકારવા માટે તત્પર એવા મહાત્મા પૂર્વે વર્ણવેલી પાંચ ભાવનાઓથી આત્માને પ્રથમ ભાવિત કરે છે, ત્યારપછી જિનકલ્પી સાધુ જેવા થઈને ગચ્છમાં જ રહીને આહારાદિના વિષયમાં બાહ્ય અને આંતરરૂપ બે પ્રકારના પરિકર્મને કરે છે, જે પૂર્વે ભાવન કરેલી પાંચ ભાવનાઓને સ્થિર કરવા અર્થે છે; કેમ કે જિનકલ્પ સ્વીકારવો એ દુષ્કર કાર્ય છે. તેથી જિનકલ્પ સ્વીકારતા પૂર્વે આ મહાત્મા ગચ્છમાં જ રહીને, જિનકલ્પી સાધુ જેવા બનીને, જિનકલ્પી સાધુના સર્વ આચારો પાળીને બે પ્રકારના પરિકર્મને કરે, તો જ પૂર્વે ભાવન કરેલી પાંચ ભાવનાઓમાં દઢતા પ્રાપ્ત થાય. આથી જિનકલ્પ સ્વીકારવાની અભિલાષાવાળા સાધુ પાંચ ભાવનાઓ કર્યા પછી બે પ્રકારની પરિકર્મરૂપ વિધિ કરે છે અને ત્યારપછી જિનકલ્પ સ્વીકારે છે. વળી, પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહેલ કે કેટલાક આચાર્ય દ્વારગાથામાં રહેલ “ત્ર' શબ્દથી ગૃહીત વિધ્યતરને જ કહે છે. તેથી એ પ્રાપ્ત થાય કે ગાથા ૧૩૭૨માં અવ્યવચ્છિત્તિમન નામના પ્રથમ દ્વારથી માંડીને બલભાવના સુધીનાં જે દ્વારો બતાવ્યાં, તે સિવાય આ જિનકલ્પ સ્વીકારતા પહેલાં કરવાની વિધિનું સ્વરૂપ બતાવનારું અન્ય દ્વાર છે, જેનો સંગ્રહ દ્વારગાથામાં “ર' શબ્દથી કરેલ છે. વળી બે પ્રકારના પરિકર્મરૂપ વિધિ કર્યા પછી મહાત્મા દ્વારગાથામાં બતાવેલ અંતિમ દ્વાર પ્રમાણે વટવૃક્ષની નીચે જિનકલ્પ સ્વીકારે છે. આથી ફલિત થાય કે જિનકલ્પ સ્વીકારવા માટે ઋષિએ જેમ પાંચ ભાવનાઓથી ભાવિત થવું જોઈએ, તેમ જિનકલ્પી જેવા થઈને, ગચ્છમાં જ રહીને, બે પ્રકારના પરિકર્મથી પરિકર્મિત પણ થવું જોઈએ. આ સર્વ કર્યા પછી જિનકલ્પ સ્વીકારવો જોઈએ. ૧૪૧રા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy