SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પર સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | “એકત્વભાવના' દ્વાર / ગાથા ૧૪૦૪-૧૪૦૫ સંસારઅવસ્થામાં કે સર્વથા સંયોગો વગરની આત્માની મુક્તઅવસ્થામાં લેશ પણ પક્ષપાત ન થાય તેવો આત્માનો જે મધ્યસ્થભાવ છે તે આત્માનું હિત છે; કેમ કે જેના ચિત્તમાં સર્વ ભાવો પ્રત્યે મધ્યસ્થભાવ વર્તે છે, તેનું ચિત્ત વર્તમાનમાં લેશ પામતું નથી, તેથી કર્મબંધ થતો નથી, જેના ફળરૂપે જીવને સંસારના પરિભ્રમણરૂપ વિડંબણા પ્રાપ્ત થતી નથી. માટે મધ્યસ્થભાવ જીવનું એકાંતે હિત કરનાર છે અને સાંયોગિક એવા દેહાદિ પ્રત્યેના મમત્વભાવનો ત્યાગ થાય તો જ જીવમાં મધ્યસ્થભાવ સંભવે છે. આથી મહાત્મા સર્વ પદાર્થો પ્રત્યેના મમત્વનો ત્યાગ કરીને પરમાર્થથી પોતાનો આત્મા એક છે, એ પ્રકારના તત્ત્વને હૃદયમાં ધારણ કરીને સર્વ સંયોગો પ્રત્યેની અસંસર્ગ બુદ્ધિને અત્યંત સ્થિર કરે છે, જે મધ્યસ્થભાવના પ્રકર્ષ સ્વરૂપ એકત્વભાવનાનો પ્રકર્ષ છે. ૧૪૦૪ ગાથા : इय भाविअपरमत्थो समसुहदुक्खोऽबहीअरो होइ । तत्तो अ सो कमेणं साहेइ जहिच्छिअंकज्जं ॥१४०५॥ અન્વયાર્થ : આ રીતે પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, માવિત્રપરમભ્યો ભાવિત પરમાર્થવાળા, સમસુદ,વમોસમ સુખ-દુ:ખવાળા એવા મુનિ વહીરો=અબહિશર દોડું થાય છે. તો મ=અને તેથી સો=આ=એકત્વભાવના ભાવનારા ઋષિ, મેvi ક્રમ વડે જ્ઞિિä Ë યથેચ્છિત કાર્યને સાહેફસાધે છે. ગાથાર્થ : પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે ભાવિ પરમાર્થવાળા, સમ સુખ-દુઃખવાળા મુનિ અબહિશ્વર થાય છે. અને તેથી એકત્વભાવના ભાવનારા ત્રષિ ક્રમે કરીને યથેચ્છિત કાર્યને સાધે છે. ટીકાઃ ___ इय-एवं भावितपरमार्थः सन् समसुखदुःखो मुनिरबहिश्चरो भवति आत्माराम इत्यर्थः, ततश्च असौ क्रमेण अवदायमानः साधयति यथेष्टं कार्यं चारित्ररूपमिति गाथार्थः ॥१४०५॥ ટીકાર્ય : આ રીતે પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, ભાવન કરેલા પરમાર્થવાળા છતા, સમ સુખ અને દુઃખવાળા મુનિ અબહિશ્ચર=આત્મારામ, થાય છે. અને તેથી ક્રમ વડે અવદાયમાન એવા આ=ક્રમે કરીને વિશુદ્ધ થતા એવા એકત્વભાવના ભાવનારા ઋષિ, યથેષ્ટ એવા ચારિત્રરૂપ કાર્યને સાધે છે અર્થાત્ પોતે જે પ્રકારે તદ્દન સંગ વગરના આત્માના પરિણામને ઉલ્લસિત કરવા સ્વરૂપ વિશિષ્ટ ચારિત્રરૂપ કાર્ય ઇશ્કેલ હતું તે પ્રકારના કાર્યને સિદ્ધ કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં બતાવ્યું. એ રીતે આ ઋષિ એકત્વભાવનાથી આત્માને અત્યંત ભાવિત કરે છે; એકત્વભાવનાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy