SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ‘એકત્વભાવના' દ્વાર | ગાથા ૧૪૦૨-૧૪૦૩ ૪૯ વગેરે, ઉપસર્ગવિષયક, ઉપકરણની પ્રેક્ષાદિવિષયક, ઔચિત્યથી ભિક્ષા અને પંથવિષયક ભિક્ષાટનવિષયક અને વિહારવિષયક, યોગ્ય કાળને છાયા વિના જાણે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૩૯૯માં કહેલ કે આ ઋષિ સૂત્રભાવનાને ઉચ્છવાસાદિ માનથી સર્વથા સુઅભ્યસ્ત કરે છે, તે સુઅભ્યસ્ત એવી સૂત્રભાવનાના બળથી તે ઋષિ દરેક કૃત્યના ઉચિત કાળને નક્કી કરે છે. તેથી આકાશ મેઘાદિથી ઢંકાયેલું હોવાથી દિવસ-રાતનો વિભાગ થતો ન હોય તેવાં ક્ષેત્રોમાં પણ, પોતાને જે ક્રિયાનો પ્રારંભ જે કાળે કરવાનો હોય અને જે ક્રિયાની સમાપ્તિ જે કાળે કરવાની હોય, તે બંને કાળને તે ઋષિ સૂત્ર-અર્થના પારાયણના બળથી જાણે છે. . વળી ક્યારેક દેવતાએ તે મુનિને ભ્રમ કરાવવા અર્થે દિવસે રાત જેવો અંધકાર કર્યો હોય અને રાત્રિમાં દિવસ જેવો પ્રકાશ કર્યો હોય તોપણ, તેઓને કાળવિષયક ભ્રમ થતો નથી, પરંતુ તે ઋષિ યોગ્ય કાળને જાણી શકે છે, કેમ કે પોતે ક્ષણભર પણ પ્રમાદ કર્યા વગર જે સૂત્ર-અર્થનું પારાયણ કરે છે, તેના દ્વારા એક ક્ષણના પણ ફેરફાર વગર કાળની મર્યાદાનો યથાર્થ નિર્ણય તેઓ કરી શકે છે. વળી પોતાના ઉપકરણની પડિલેહણા કરવાનો કે આવશ્યક ક્રિયાઓ કરવાનો ઉચિત કાળ પણ તેઓ સ્વાધ્યાયના બળથી જાણી શકે છે, પુરુષની છાયાના બળથી તેઓને તે તે કાળનો નિર્ણય કરવો પડતો નથી. તે રીતે ભિક્ષા ગ્રહણ કરવાના અને વિહાર કરવાના ઉચિત કાળનો પણ નિર્ણય તેઓ છાયાના અવલંબન વગર સૂત્રના અભ્યાસના બળથી કરે છે. આમ, જે જે વિહિત અનુષ્ઠાનનો જે જે અવસર પ્રાપ્ત થાય, તે તે અવસરનો તેઓ સ્વાધ્યાયના બળથી યથાર્થ નિર્ણય કરી શકે છે, તેથી તેઓ ઉચિત કાળે પ્રત્યુપેક્ષણાદિ સર્વ ઉચિત કૃત્યો કરે છે. /૧૪૦રી. અવતરણિકા : एकत्वभावनामभिधातुमाह - અવતરણિકાર્ય : એકત્વભાવનાને કહેવા માટે કહે છે – ભાવાર્થ : ગાથા ૧૩૭૨માં અભ્યદ્યત વિહારનાં દશ દ્વારો બતાવેલ, તેમાંથી સાતમા “શ્રુતભાવના' દ્વારના સ્વરૂપનું ગાથા ૧૩૯૯થી ૧૪૦૨માં અભિધાન કર્યું, હવે ગાથા ૧૪૦૬ સુધી આઠમા “એકત્વભાવના' દ્વારના સ્વરૂપનું અભિધાન કરવા માટે કહે છે – ગાથા : एगत्तभावणं तह गुरुमाइसु दिट्टिमाइपरिहारा । भावइ छिण्णममत्तो तत्तं हिअयम्मि काऊणं ॥१४०३॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy