SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | “સત્વભાવના' દ્વાર / ગાથા ૧૩૯૬-૧૩૯૦ હોય તેવા સ્થાનમાં જઈને ત્રીજી પ્રતિમા ધારણ કરે છે; કેમ કે તે સ્થાનમાં ઉપદ્રવો થવાની સંભાવના અધિક રહે છે, તો પણ તે મહાત્મા ઉપદ્રવોમાં અલના પામ્યા વગર શુદ્ધ આત્મતત્ત્વના ચિંતનમાં દઢ યત્ન કરે છે. આ રીતે મહાત્મા ત્રીજી પ્રતિમાથી સંપન્ન થઈ જાય ત્યારપછી, તેઓ તે નગરમાં રહેલા કોઈક ખંડેર ઘરમાં જઈને ચોથી પ્રતિમા ધારણ કરે છે; કેમ કે તે ખંડેર અવસ્થાવાળા શૂન્ય ઘરમાં ઉંદર, બિલાડા, સાપ, મચ્છર વગેરે જીવજંતુઓના ઉપદ્રવો થવાની સંભાવના અત્યંત રહે છે, તોપણ તેવા પ્રતિકૂળ સંયોગોમાં તે મહાત્મા અપ્રમાદભાવથી આત્માની નિર્લેપ અવસ્થામાં જવાનો સુદઢ વ્યાપાર કરે છે. આ રીતે ચોથી પ્રતિમાથી તે મહાત્મામાં સત્ત્વભાવનાનો પ્રકર્ષ થાય ત્યારપછી, તેઓ શ્મશાનમાં જઈને પાંચમી પ્રતિમા ધારણ કરે છે; કેમ કે શમશાનમાં દેવતા વગેરે દ્વારા ઘણા ઉપસર્ગો થવાની સંભાવના હોય છે, તોપણ તે સર્વ ઉપસર્ગોમાં ચલાયમાન થયા વગર તે મહાત્મા આત્માના સત્ત્વભાવનો પ્રકર્ષ કરવા માટે દઢ ઉદ્યમ કરે છે. આમ, અભ્યત વિહાર સ્વીકારતા પહેલાં મહાત્મા પાંચેય પ્રતિમાઓને વહન કરવા દ્વારા સત્ત્વનો અભ્યાસ કરીને પોતાના યોગમાર્ગમાં પ્રવર્તતા સત્ત્વને અત્યંત પ્રકર્ષવાળું બનાવે છે. ૧૩૯૬ll અવતરણિકા : - પૂર્વગાથામાં બતાવી એ પ્રતિમાઓનું વહન કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે – ગાથા : एआसु थेवथेवं पुव्वपवत्तं जिणेइ णिदं सो । मूसगछिक्काओ तह भयं च सहसुब्भवं अजिअं ॥१३९७॥ અન્વચાઈ: સો=આ=અભ્યઘત વિહાર સ્વીકારતા પહેલાં સત્ત્વભાવના કરનારા ઋષિ, પુત્રવત્ત દંપૂર્વપ્રવૃત્ત એવી નિદ્રાને સાસુ–આમાં=પ્રતિમાઓમાં, વેવથેāસ્તોક સ્તોક નિપટ્ટ-જીતે છે. તદ ર=અને તે રીતે મૂછિદHaો=મૂષકમ્યુષ્ટાદિમાં નિરં=અજિત એવા સહસુષ્મવં ભયંસહસા ઉદ્દભવવાળા ભયને (જીતે ગાથાર્થ : અભ્યધત વિહાર સ્વીકારતા પહેલાં આ ષિ પૂર્વપ્રવૃત્ત એવી નિદ્રાને આ પ્રતિમાઓમાં થોડી થોડી જીતે છે. અને તે રીતે મૂષકઋષ્ટાદિમાં નહિ જીતાયેલ એવા સહસા ઉદ્ભવવાળા ભયને જીતે છે. ટીકાઃ ___एतासु प्रतिमासु स्तोकस्तोकं यथासमाधिना पूर्वप्रवृत्तां जयति निद्रामसौ ऋषिः, मूषिकास्पृष्टादौ तथा, आदिशब्दान्मार्जारादिपरिग्रहः, भयं च सहसोद्भवमजितं जयतीति गाथार्थः ॥१३९७॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy