SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | ‘તપોભાવના' દ્વાર | ગાથા ૧૩૯૧ છ માસિક તપ સુધીના સર્વ તપમાંથી જે જે તપ અનવ્યસ્ત હોય, તે સાધુ તે તે તપથી માંડીને આગળ આગળના સર્વ તપનો અભ્યાસ કરવા તે તે તપને ત્રણ વખત કરે છે, એમ વિ' શબ્દના ઉપલક્ષણથી ગ્રહણ કરવાનું છે. અહીં ગિરિનદીના સિંહ વડે દાંત છે. જે રીતે આ=સિંહ, વેગવાળી ગિરિનદીને અસકૃતુવારંવાર, ઊતરવા દ્વારા પણ પ્રગુણ બાધા વગર, ઊતરે છે, એ રીતે આ=અભ્યદ્યત વિહાર સ્વીકારવા તત્પર થયેલા ગણિ આદિ, અબાધક તપને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વમાં પરિકર્મ દ્વારનું સ્વરૂપ બતાવ્યું તે પ્રમાણે અચુદ્યત વિહાર સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા ઇન્દ્રિયો, કષાયો અને યોગોના વિનિયમનની ભાવના કરીને પરિકર્મિત ભાવવાળા થાય છે, અને ત્યારપછી જે તપ પોતાના આત્માની પ્રકૃતિરૂપ ન બન્યો હોય તે તપ તે મહાત્મા સુધાના વિજય માટે ત્રણ વખત કરે છે. તે ત્રણ વખત તપ કઈ રીતે કરે છે? તે પર્વત પર વહેતી નદીની નજીકમાં રહેતા સિંહના દૃષ્ટાંતથી દર્શાવે છે – જેમ પર્વતની નદીની પાસે રહેતા સિંહને શિકાર કરવા નદીના સામે કિનારે જવાનું હોય છે, તેથી તે સિંહ વેગથી પણ વહેતી નદીનો પોતે સહજ રીતે પાર ઊતરી શકે તે માટે વારંવાર નદી ઊતરવાનો અભ્યાસ કરે છે અર્થાત્ તે સિંહ નદીના સામેના કિનારા પાસે રહેલા કોઈ સ્થાનનો સંકેત કરીને તે સ્થાનની દિશા તરફ નદી ઊતરવા યત્ન કરે છે, અને નદી ઊતરતી વખતે નદીના વહેતા પાણીના વેગથી પોતે અન્ય દિશા તરફ ખેંચાઈ જાય તોપણ ફરી પોતાના મૂળ સ્થાને આવીને પોતે સંકેત કરેલા સ્થાને પહોંચવા માટે ફરી નદી ઊતરવાનો દઢ યત્ન કરે છે; અને જો તે સિંહ ફરી પણ વેગથી વહેતી નદીના પાણીથી અન્યત્ર ખેંચાઈ જાય તો ફરીથી પોતાના મૂળ સ્થાને આવીને નદી ઊતરવા દ્વારા પોતાના લક્ષ્ય તરફ જવા પ્રયત્ન કરે છે. આ રીતે તે સિંહ તે નદીના દરેક સ્થાનોનું લક્ષ્ય કરીને પોતાના મૂળ સ્થાનેથી પોતે લક્ષ્ય કરેલ દિશાઓ તરફ જવા માટે વેગથી વહેતી નદી ઊતરવા દઢ યત્ન કરે છે. આ પ્રકારનો વારંવાર અભ્યાસ કરવાથી પોતાના લક્ષ્ય તરફ જવાની ક્રિયામાં નદીના પાણીનો વેગ પોતાને લેશ પણ સ્મલિત ન કરી શકે તે રીતે સંપૂર્ણ નદી ઊતરવા તે સિંહ સમર્થ બને છે, જેના કારણે તે સિંહ નદીના ગમે તે સ્થાનોમાંથી પણ વ્યાકુળતા વગર વેગવાળી નદી તરીને પોતે નક્કી કરેલાં સર્વ સ્થાનો તરફ સહજ રીતે જઈ શકે તેવા સામર્થ્યવાળો બને છે. તેમ અભ્યદ્યત વિહાર સ્વીકારવા તત્પર થયેલા ગણિ આદિ મહાત્માઓ પોતાને પોરિસી વગેરે જે જે તપનો પોતાને અભ્યાસ થયેલો ન હોય અર્થાતુ જે તપ કરવાથી સંયમના યોગોમાં પોતાને શિથિલતા પ્રાપ્ત થતી હોય, તે તે તમને સેવવા અત્યંત અપ્રમાદપૂર્વક વારંવાર પ્રયત્ન કરે છે, અને જે જે તપનું સેવન અન્ય યોગોની લેશ પણ શિથિલતા પ્રાપ્ત ન થાય તે રીતે ત્રણ વાર અભ્યસ્ત થઈ જાય, ત્યારપછી આગળ આગળનું તપ સંયમના અન્ય યોગમાં લેશ પણ ગ્લાનિ ન કરે તે રીતે સેવી સેવીને સુઅભ્યસ્ત કરવા દેઢ પ્રયત્ન છે. આ રીતે છ માસિક તપ સુધીના તપને અલના વગર ત્રણ-ત્રણ વખત સેવીને તે મહાત્માઓ સુઅભ્યસ્ત કરે છે. ||૧૩૯૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy