SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ‘ઉપકરણ' દ્વાર/ ગાથા ૧૩૮૩-૧૩૮૪ અન્વયાર્થ : વિએ ગા=અને ઉચિત થયે છ7=પાછળથી સ્વકલ્પને ઉચિત ઉપકરણ પ્રાપ્ત થયે છતે, મીઠું તયં યથાકૃત એવા તેને-પૂર્વે ગ્રહણ કરેલાં વસ્ત્રાદિ ઉપકરણને, વિહા=વિધાનથી=સૂત્રોક્ત વિધિથી, વસિરફે વોસિરાવે છે. રૂઅહીં લોકમાં, રૂ=આ રીતે સાનિયર્સ આજ્ઞાનિરતના=ભગવાનની આજ્ઞાના પાલનમાં રત એવા સાધુના, તે પિ તે પણ પૂર્વનાં યથાકૃત ઉપકરણ પણ, તે તેનાથી સમ=પાછળથી પ્રાપ્ત થયેલાં ઉચિત ઉપકરણ સમાન, વિપurગં=જાણવાં. ગાથાર્થ : અને પાછળથી સ્વકલ્પને ઉચિત ઉપકરણ પ્રાપ્ત થયે છતે પૂર્વે ગ્રહણ કરેલાં અથાકૃત ઉપકરણને સૂત્રોક્ત વિધિથી વોસિરાવે છે. લોકમાં આ રીતે ભગવાનની આજ્ઞાના પાલનમાં રત એવા સાધુના પૂર્વનાં યથાકૃત ઉપકરણ પણ પાછળથી પ્રાપ્ત થયેલાં ઉચિત ઉપકરણ જેવા જાણવાં. ટીકા? जाते सत्युचितोपकरणे तत् प्राक्तनं व्युत्सृजति यथाकृतं उपकरणं विधानेन-सौत्रेण, इय तत्त्यागनिःस्पृहतया आज्ञानिरतस्येह-लोके विज्ञेयं तदपि-मौलमुपकरणं तेन समं पाश्चात्येनेति गाथार्थः ૨૨૮૪ ટીકાર્ય : ઉચિત ઉપકરણ થયે છd=જિનકલ્પાદિરૂપ અભ્યદ્યત વિહાર સ્વીકાર્યા પછી સ્વકલ્પને ઉચિત એવાં વસ્ત્રાદિ ઉપકરણ પ્રાપ્ત થયે છતે, યથાકૃત એવાં તે પ્રાન્તન ઉપકરણને પૂર્વે ગ્રહણ કરેલાં તે યથાકૃત વસ્ત્રાદિ ઉપકરણને, સૌત્ર વિધાનથી=સૂત્ર સંબંધી વિધિથી, વોસિરાવે છે. અહીં=લોકમાં, આ રીતે તેના ત્યાગમાં નિઃસ્પૃહપણાથી પૂર્વે ગ્રહણ કરેલાં યથાકૃત વસ્ત્રાદિ ઉપકરણનો ત્યાગ કરવામાં નિઃસ્પૃહભાવથી, આજ્ઞાનિરતને=ભગવાનની આજ્ઞાના પાલનમાં રત એવા અમ્મુદ્યત વિહાર સ્વીકારના સાધુને, તે પણ= મૌલ ઉપકરણ પણ મૂળ એવા અભ્યદ્યત વિહાર સ્વીકારની પૂર્વે ગ્રહણ કરેલાં યથાકૃત વસ્ત્રાદિ ઉપકરણ પણ, પાશ્ચાત્ય એવા તેનાથી સમ=અભ્યદ્યત વિહાર સ્વીકાર્યા પછી પ્રાપ્ત થયેલા શુદ્ધ એષણાથી અને પ્રમાણથી યુક્ત એવા સ્વકલ્પને ઉચિત વસ્ત્રાદિ ઉપકરણ જેવાં, જાણવાં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અભ્યઘત વિહાર સ્વીકારતા પહેલાં મહાત્માઓ શુદ્ધ એષણાથી યુક્ત અને પ્રમાણથી યુક્ત એવાં જે વસ્ત્રાદિ ઉપકરણ શાસ્ત્રોક્ત મર્યાદાથી પોતાના જિનકલ્પાદિને ઉચિત હોય તેને ઉત્સર્ગથી પ્રારંભમાં ગ્રહણ કરે છે; પરંતુ જો અચુદ્યત વિહાર સ્વીકારતાં પહેલાં આવા સ્વકલ્પને ઉચિત વસ્ત્રાદિ ઉપકરણ પ્રાપ્ત ન થાય તો અપવાદથી યથાકૃત વસ્ત્રાદિ ઉપકરણને પણ ગ્રહણ કરે છે, અને જિનકલ્પાદિરૂપ અભ્યદ્યત વિહાર સ્વીકાર્યા પછી જ્યારે તેમને પોતાના કલ્પને ઉચિત એવાં વસ્ત્રાદિ ઉપકરણ પ્રાપ્ત થાય ત્યારે પૂર્વે ગ્રહણ કરેલાં તે યથાકૃત વસ્ત્રાદિ ઉપકરણનો શાસ્ત્રોક્ત વિધિ મુજબ ત્યાગ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy