SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક / અભ્યઘત વિહાર / ‘ઉપકરણ' દ્વાર | ગાથા ૧૩૮૨, ૧૩૮૩-૧૩૮૪ ટીકાર્ય : પ્રામાણિક એવા બહુ ગુણોના ત્યાગથી થોડા ગુણોના પ્રસાધનવાળું કાર્ય બુધજનોને=વિદુષોને=પંડિતોને, ક્યારેય ઇષ્ટ હોતું નથી જ. કયા કારણથી ઇષ્ટ હોતું નથી ? એથી કહે છે – કુશલો=બુદ્ધિમાન પુરુષો, સુપ્રતિષ્ઠિત આરંભવાળા હોય છે. ૨૨ ગાથાના પ્રારંભમાં રહેલ 7 ચનું યોજન ગાથાના ત્રીજા પાદ સાથે હોવાથી ટીકામાં ન ચનો અર્થ કરતાં જાય પછી નૈવ નૃત્યર્થ: એમ કહેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: અભ્યુદ્યત વિહાર માટે તત્પર થયેલા વૃદ્ધ ગણિ આદિ પોતાનું પદ જે સાધુઓને આપે, તેઓ તે પદનો સમ્યગ્ નિર્વાહ કરી શકે નહીં તો, તે વૃદ્ધ ગણિ આદિનું અભ્યઘત વિહારના સ્વીકારરૂપ કાર્ય, આત્મકલ્યાણનું કારણ બને એવા ઘણા ગુણોના ત્યાગથી થોડા ગુણોને સાધનારું છે; કેમ કે પોતાના ગણિ આદિ પદનો નિર્વાહ કરવા માટે તે વૃદ્ધ થયેલા ગણિ આદિ અસમર્થ સાધુને તે તે પદ આપીને અભ્યઘત વિહાર સ્વીકારે તો, ગચ્છના આરાધક સાધુઓ પૂર્વના ગણિ આદિના સમ્યક્ અનુશાસન દ્વારા યોગમાર્ગમાં પ્રવર્તીને જે રીતે આત્મકલ્યાણ કરી રહ્યા હતા તેવું આત્મકલ્યાણ નવા ગણિ આદિ પાસેથી યોગ્ય અનુશાસનની પ્રાપ્તિ નહીં થવાને કારણે કરી શકે નહીં, જેથી ગચ્છના તે યોગ્ય સાધુઓના આત્માનું જે અહિત થાય, તે નવા ગણિ આદિના આત્માનું પણ ગચ્છની સમ્યક્ અનુવર્તના નહીં કરવાને કારણે જે અહિત થાય, તે સર્વ પ્રત્યે અભ્યાત વિહાર સ્વીકારનારા વૃદ્ધ ગણિ આદિની ઉપેક્ષા કારણ છે, માટે આ રીતે ગ્રહણ કરાયેલો તેઓનો અભ્યુદ્યત વિહાર ઘણા આત્માઓના હિતની ઉપેક્ષા દ્વારા પોતાના આત્માના હિતને સાધવાના કરાયેલા પ્રયાસરૂપ હોવાથી ઘણા લાભના ત્યાગથી થોડા લાભને સાધનારા કાર્ય તુલ્ય બને છે. વળી આરાધક એવા ગણિ આદિ ક્યારેય ઘણા લાભના ત્યાગથી અલ્પ લાભને સાધનારી પ્રવૃત્તિ કરે નહીં; કેમ કે અભ્યઘત વિહાર સ્વીકારનારા સાધુઓ કુશલ હોય છે અને કુશલ પુરુષો હંમેશાં સુપ્રતિષ્ઠિત આરંભવાળા અર્થાત્ અધિક લાભના કારણભૂત આરંભવાળા હોય છે. આથી સુપ્રતિષ્ઠિત આરંભવાળા વૃદ્ધ ગણિ આદિ અવશ્ય પોતાના પદનો સમ્યગ્ નિર્વાહ કરી શકે એવા ઉત્તરાધિકારી સાધુની તે તે પદની યોગ્યતાની તુલના કરીને તેઓને તે તે પદ ઉપર સ્થાપન કરે છે, અને ત્યારપછી જ સ્વયં જિનકલ્પાદિરૂપ અભ્યુદત વિહાર સ્વીકારે છે. ૫૧૩૮૨૫ અવતરણિકા : उपकरणद्वारमाश्रित्याह અવતરણિકાર્ય : ‘ઉપકરણ’ દ્વારને આશ્રયીને કહે છે - ભાવાર્થ: ગાથા ૧૩૭૨માં અભ્યધત વિહારનાં દશ દ્વારો બતાવેલ, તેમાંથી ગાથા ૧૩૭૯થી ૧૩૮૨માં બીજા ‘પંચતુલના’ દ્વારને આશ્રયીને વ્યાખ્યાન કર્યું, હવે ત્રીજા ‘ઉપકરણ’ દ્વારને આશ્રયીને વ્યાખ્યાન કરે છે . – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy