SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સંખનાવસ્તુક | અભ્યધત વિહાર | પંચ તુલના' દ્વાર | ગાથા ૧૩૮૦-૧૩૮૧ પ્રાયઃ કરીને તે તે પદને યોગ્ય સાધુઓને પણ તે તે પદનો નિર્વાહ કરવો દુષ્કર હોય છે, માટે તેઓની પરીક્ષા કરાય છે. ટીકા? पश्यामस्तावदेते-अभिनवाचार्यादयः कीदृशा भवन्त्यस्य स्थानस्य प्रस्तुतस्य, उचिता न वेति, अयोग्यानामनारोपणमेवेत्याशङ्क्याह-योग्यानामपि सामान्येन प्रायो निर्वहणं प्रस्तुतस्य दुष्करं भवति, लोकसिद्धमेतदिति गाथार्थः ॥१३८१॥ ટીકાર્ય : - અમે જોઈએ : આ=અભિનવ આચાર્યાદિ=અલ્પકાળ માટે ગણિ આદિ પદ પર સ્થાપેલા નવા ગણિ આદિ, પ્રસ્તુત એવા આ સ્થાનનેપ્રસ્તુત એવા ગણિ આદિ પદને, કેવા પ્રકારના થાય છે? ઉચિત કે નહીં? તે તે પદને યોગ્ય છે કે અયોગ્ય? એથી ગણિ આદિ પોતાના સમાન ગુણોવાળા અન્ય સાધુઓને અલ્પકાળ માટે પોતાના ગણિ આદિ પદ પર સ્થાપે છે, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. અયોગ્યોમાં અનારોપણ છે તે તે પદને અયોગ્ય સાધુઓમાં તે તે પદનું આરોપણ કરવાનું જ નથી, છતાં આ પ્રકારે પરીક્ષા કરવાનું શું પ્રયોજન છે ? આ પ્રકારની આશંકા કરીને કહે છે – સામાન્યથી યોગ્યોને પણ=પ્રસ્તુત એવા ગણિ આદિ પદને યોગ્ય સાધુઓને પણ, પ્રાયઃ પ્રસ્તુતનું નિર્વહણ=પ્રસ્તુત એવા ગણિ આદિ પદનો નિર્વાહ, દુષ્કર હોય છે, એ લોકમાં સિદ્ધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં બતાવ્યા એ ગણિ આદિ પાંચ પુરુષો વૃદ્ધ થાય અને અન્યૂત વિહાર સ્વીકારવાની ઇચ્છાવાળા થાય, ત્યારે તેઓ પ્રથમ તુલના કરે છે કે પોતે જે રીતે ગણિ આદિ પદનો અત્યાર સુધી સમ્યમ્ નિર્વાહ કર્યો તે રીતે ગણિ આદિ પદનો સભ્ય નિર્વાહ, ભવિષ્યમાં તે તે પદે સ્થાપિત થનારા સાધુઓ કરી શકશે કે નહીં ? તેનો નિર્ણય થયા પછી જ અભ્યદ્યત વિહાર સ્વીકારવાની શાસ્ત્રીય મર્યાદા છે. વળી આવી તુલના કરવા માટે તે વૃદ્ધ થયેલા ગણિ આદિ ગચ્છમાં જે પોતાના પદનો સમ્યગુ નિર્વાહ કરવા સમર્થ સાધુઓ જણાય તેઓને અલ્પકાળ માટે પોતપોતાનું પદ સોંપે છે અને પોતે, તેઓ તે તે પદને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિ કરી શકે છે કે નહીં ? પોતાની જેમ ગચ્છની હિતચિંતા કરે છે કે નહીં? તે સર્વનું નિરીક્ષણ કરે છે; અને જો તેઓ તે તે પદનો સમ્યગુ નિર્વાહ કરવા સમર્થ જણાય તો તે વૃદ્ધ ગણિ આદિ પોતપોતાના પદનું તેઓમાં સ્થાપન કરીને, પોતે તે પદથી સર્વથા નિવૃત્ત થઈને અભ્યઘત વિહાર સ્વીકારે છે. અહીં પ્રશ્ન થાય કે ગણિ આદિ પદને યોગ્ય જીવોમાં તે તે પદનું આરોપણ કરવાનું છે અને તે તે પદને યોગ્ય જીવો અવશ્ય તે તે પદનો નિર્વાહ કરી શકે તેમ હોય છે; છતાં આ સાધુઓ આ પદનો નિર્વાહ કરી શકશે કે નહીં ? તેવી તુલના કરવાનું શું પ્રયોજન ? તેના ઉત્તરરૂપે કહે છે – સામાન્ય રીતે તે તે પદને યોગ્ય સાધુઓને પણ પ્રાયઃ તે તે પદનો નિર્વાહ કરવો દુષ્કર હોય છે, એ લોકમાં પ્રસિદ્ધ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy