SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ સંખનાવસ્તક / પંચવસ્તુ ગ્રંથનો ઉપસંહાર / ગાથા ૧૦૦૦-૧૦૦૮ તે બોધને અનુસાર સમ્યક પ્રવૃત્તિ કરવામાં આવે તો અવશ્ય સંસારનો અંત થાય છે. આ પ્રકારનો નિર્ણય હોવાથી તેઓ અત્યંત શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રો ભણે છે, તે શાસ્ત્રો ભણતી વખતે પોતાની મેધાને શાસ્ત્રોના પરમાર્થો જાણવામાં પૂરેપૂરી વ્યાકૃત કરે છે, શાસ્ત્રોના અર્થોનો નિર્ણય કરીને તે અર્થોના પરાવર્તનમાં ધૃતિપૂર્વક યત્ન કરે છે, તેમ જ શાસ્ત્રો જે ભાવો બતાવે છે તે ભાવોથી આત્માને ધૃતિપૂર્વક ભાવિત કરીને તે ભાવોને આત્મામાં અત્યંત સ્થિર કરવારૂપ ધારણા કરે છે, તેમ જ આત્મામાં ધારણ કરેલા ભાવોના નિયંત્રણથી કરાતી ઉચિત પ્રવૃત્તિ વખતે પોતાના બોધને અનુરૂપ ભાવોની નિષ્પત્તિમાં યત્ન કરે છે, તે અનુપ્રેક્ષારૂપ છે અર્થાત્ કાર્યનિષ્પત્તિને અનુરૂપ અનુપ્રેક્ષણરૂપ છે. આ પ્રકારે યત્ન કરનારા જીવો આગમની પરતંત્રતા પ્રાપ્ત કરે છે, જે આગમપરતંત્રતા આ પાંચ વસ્તુઓની આરાધનાવિષયક યત્ન કરવામાં મૂળ છે. તેથી અતિશય શ્રદ્ધાદિ ભાવપૂર્વક પ્રસ્તુત ગ્રંથમાં યત્ન કરવામાં આવે તો ભવ્ય જીવો વર્તમાનકાળમાં પણ પંચવસ્તુની આરાધનામાં યત્ન કરી શકે તેમ છે. ||૧૭૦૭ll અવતરણિકા: एतदेवाह - અવતરણિતાર્થ : આને જ કહે છે–પૂર્વગાથામાં કહ્યું કે પાંચ વસ્તુઓની આરાધનાના યત્નમાં આગમપરતંત્રતા મૂળ છે, અન્ય નહીં, એને જ સ્પષ્ટ કરે છે – ગાથા : जम्हा न धम्ममग्गे मोत्तूणं आगमं इह पमाणं । विज्जइ छउमत्थाणं तम्हा एत्थेव जइअव्वं ॥१७०८॥ અન્વયાર્થ : નહીં કારણથી રૂદ્ભસંસારમાં, થમ ધર્મના માર્ગમાં સામાનં મોજૂi=આગમને મૂકીને છ૩મસ્થાdi=છબસ્થોને પાઈ ર વિક્કડું પ્રમાણ વિદ્યમાન નથી, તë=તે કારણથી પ્રત્યે-અહીં જ= આગમમાં જ, નકળંકયત્ન કરવો જોઈએ. ગાથાર્થ : જે કારણથી સંસારમાં ધર્મના માર્ગમાં આગમને મૂકીને છઘસ્યોને પ્રમાણ વિધમાન નથી, તે કારણથી આગમમાં જ યત્ન કરવો જોઈએ. ટીકા : __ यस्माद् न धर्ममार्गे परलोकगामिनि मुक्त्वा आगममेकं परमार्थतः इह प्रमाणं प्रत्याख्यानादि विद्यते छद्मस्थानां प्राणिनां, तस्मादत्रैव-आगमे कुग्रहान् विहाय यतितव्यं जिज्ञासाश्रवणश्रवणानुष्ठानेषु यत्नः कार्यो, नागीतार्थजनाचरणपरेण भवितव्यमिति गाथार्थः ॥१७०८॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy