SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | પંચવરૂકગ્રંથનો ઉપસંહાર / ગાથા ૧૦૦૦ ૪૧ ગાથાર્થ : પાંચ વસ્તુઓની આરાધનાના યનમાં પણ શ્રદ્ધા આદિનો ભાવ હોવાથી જ ભવ્ય સત્ત્વોએ કેવલ આગમપરતંત્રતા એકાંતથી જ મૂલ જાણવું. ટીકા : अत्रापि-आराधनायत्ने मूलं कारणं ज्ञेयमेकान्तेनैव भव्यसत्त्वैः भव्यप्राणिभिः, किमित्यत्राहश्रद्धादिभावतः खलु-श्रद्धादिभावादेव कारणाद् आगमपरतन्त्रता-सिद्धान्तपारतन्त्र्यं नवरं, नान्यन्मूलमिति गाथार्थः ॥१७०७॥ ટીકાર્ય : અહીં પણ=આરાધનાના યત્નમાં પણ, ભવ્ય સત્ત્વોએ=ભવ્ય પ્રાણીઓએ, આગમપરતંત્રતા એકાંતથી જ મૂલ=કારણ, જાણવું. કયા કારણથી? અર્થાત્ આરાધનાના યત્નમાં આગમપરતંત્રતા કયા કારણથી મૂળ છે? અહીંત્રએ પ્રકારની જિજ્ઞાસામાં, કહે છે – શ્રદ્ધાદિના ભાવથી જ=શ્રદ્ધા આદિના ભાવરૂપ કારણથી જ, કેવલ આગમપરતંત્રતા સિદ્ધાંતનું પરતંત્રપણું, મૂળ છે, અન્ય મૂળ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે સંસારસમુદ્રને તરવા માટે આ પાંચ વસ્તુઓની આરાધનામાં યત્ન કરવો જોઈએ, તે કથનમાં વિચારકને જિજ્ઞાસા થાય કે આરાધનામાં યત્ન કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે – આ પાંચ વસ્તુઓની આરાધનાના યત્નમાં આગમની પરતંત્રતા કારણ છે, અન્ય કારણ નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે પંચવસ્તુની આરાધનામાં ઉપદેશક નિમિત્તકારણ છે, તેમ જ સંઘયણબળાદિ અન્ય સામગ્રી પણ નિમિત્તકારણ છે, આગમની પરતંત્રતા જ ઉપાદાન કારણ છે; વળી આગમ વીતરાગના વચન સ્વરૂપ છે. આથી જે જીવો વીતરાગવચનના અધ્યયનથી માંડીને વીતરાગ વચનને આત્મામાં સંપન્ન કરવા સુધીની સર્વ ક્રિયાઓ વીતરાગવચનના સ્મરણપૂર્વક કરે છે, તેવા યોગ્ય જીવો આગમને પરતંત્ર થઈ શકે છે અને આ પાંચ વસ્તુઓની આરાધનામાં યત્ન કરી શકે છે, અન્ય જીવો કરી શકતા નથી. અહીં વિચારકને પ્રશ્ન થાય કે સંસારથી ભય પામેલા જીવો શાસ્ત્રો વાંચે કે ભણે, તોપણ મોટા ભાગના જીવો આ પાંચ વસ્તુઓની આરાધનાના યત્નમાં ઉપાદાન કારણભૂત એવા આગમને પરતંત્ર કેમ થઈ શકતા નથી ? તેથી કહે છે – આગમને પરતંત્ર થવામાં શ્રદ્ધા આદિનો ભાવ કારણ છે અર્થાત્ શ્રદ્ધા-મેધા-શ્રુતિ-ધારણા-અનુપ્રેક્ષા : એ પાંચનો સભાવ કારણ છે. તેથી ભગવાનના વચનમાં રુચિવાળા જીવો શાસ્ત્રો ભણવા માટે યત્ન કરે ત્યારે પણ, આ શાસ્ત્રો કઈ રીતે સંસારનો ઉચ્છેદ કરવાનો ઉચિત ઉપાય બતાવે છે? તેના મર્મને જાણવા માટે રુચિ ધરાવે છે, અને તેઓને સ્થિર નિર્ણય હોય છે કે આ સર્શાસ્ત્રોથી અર્થોનો યથાર્થ બોધ કરીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy